સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

માળીયા (મી)માં માવતરના ઘરે આવેલ પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં મૃતકના પતિ સામે ફરીયાદ


SHARE











માળીયા (મી)માં માવતરના ઘરે આવેલ પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં મૃતકના પતિ સામે ફરીયાદ

માળીયા મીયાણામાં આવેલ નવા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં માવતરના ઘરે આવેલ પરણીતાએ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને માળિયાની સરકારી હસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની માળિયા તાલુકા પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવી હતી હાલમાં મૃતક મહિલાના ભાઈએ તેના જમાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મરવા મજબૂર કર્યા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણાના નવા રેલવે સ્ટેશન વિસ્તારમાં માવતરના ઘરે આવેલ મુમતાજબેન અસલમભાઈ મોવર (૩૧) રહે. ધાંગધ્રા વાળીએ તા. ૧૧/૩ ના રોજ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના પરિવારજનો તાત્કાલિક માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે તેને સવારે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ૧૦ માસનો હતો આ બનાવમાં હાલમાં માળિયા મીયાણામાં નવા રેલવે સ્ટેશન પાસે રહેતા શાહિદભાઈ ઇસ્માઈલભાઈ કટિયા જાતે મિયાણા (૩૦) એ તેના જમાઈ અસલમભાઈ હબીબભાઈ મોવર રહે ધાંગધ્રા વાળાની સામે તેની બહેનને મરવા માટે મજબૂર કરી હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે તેની બહેનને તેના પતિ અવારનવાર ઘરકામ બાબતે મેણા ટોણા  મારી ખોટી શંકા વહેમ રાખતા હતા અને અવારનવાર ફોન ઉપર માનસિક ત્રાસ આપતા હતા જેથી કરીને તેણે માવતરના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

દારૂની એક બોટલ

મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર ૧ માંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે અસગરભાઈ અબ્દુલભાઈ ચાનીયા જાતે સંધિ (૪૭) રહે કબીર ટેકરી શેરી નંબર ૮ રોયલ ટાઇલ્સ પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News