હું છું કિશોરભાઈ ચીખલીયા ના સંકલ્પ સાથે મોરબીમાં કોંગ્રેસ કરશે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ, શહેરની કાયાપલટનું આપ્યું કોંગ્રેસના પ્રમુખે કમિટમેન્ટ મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા જયસુખભાઇ પટેલના સુપ્રીમ કોર્ટમાંથી જામીન મંજૂર


SHARE











મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા જયસુખભાઇ પટેલના સુપ્રીમ કોર્ટમાંથી જામીન મંજૂર

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે પૈકીનાં જયસુખભાઇ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી અને આ કેસમાં સુપ્રીમ કોર્ટે જયસુખભાઇ પટેલના જામીન અરજીને મંજૂર કરેલ છે

મોરબીમાં ગત ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડ્યા હતા અને તે પૈકીનાં કુલ મળીને ૬ આરોપીઓને અગાઉ હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના એમડી જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવેલ હતી જેમાં સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે જયસુખભાઇ પટેલના રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે તેવી માહિતી મોરબીની કોર્ટમાં જયસુખભાઇ પટેલના વકીલ અનિલભાઈ દેસાઇ પાસેથી જાણવા મળેલ છે






Latest News