મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મેઘપર ગામે કુમારિકા સ્વાસ્થ્ય શિબિર-નિઃશુલ્ક હિમોગ્લોબીન પરીક્ષણ કરાયું


SHARE











માળીયા (મી)ના મેઘપર ગામે કુમારિકા સ્વાસ્થ્ય શિબિર-નિઃશુલ્ક હિમોગ્લોબીન પરીક્ષણ કરાયું

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને આઈ.એમ.એ મોરબી તથા એમ.ઓ.જી.એસ. દ્વારા મેઘપર (આહિર,તા માળિયા) શ્રી નિકેતન સમન્વય કન્યા છાત્રાલયની કુમારિકાઓ માટે એક સ્વાસ્થ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુમારિકાઓને  નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવા આપવામાં  આવી હતી. આ સ્વાસ્થ શિબિરમા છાત્રાલય તેમજ ગામની ૧૧૦ બાળાઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો જયેશભાઈ પનારાએ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી, એનિમિયા થવાના કારણો અને શરીર પર થતી અસરો તથા એનિમિયા નિવારણના ઉપાયોનું હળવી શૈલીમા માર્ગદર્શન આપ્યું હતું  આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમના સંયોજક વિનોદભાઈ મકવાણા તથા સચિવ હિંમતભાઈ મારવણિયા ઉપસ્થિત રહયા હતા. ગૃહમાતા ઉમાબહેન તથા મેઘપર ગામના કાર્યકર્તા નરસંગભાઈ મંઢ તથા કાળુભાઇ હુંબલ ઉપસ્થિત રહ્યા હતા મોરબી આઈએમએ તથા  ડો. વિરલ લહેરુ પેથોલોજી લેબ વાળાએ બાળાઓની નિ: શુલ્ક લોહીનું  પરીક્ષણ કરી આર્થિક સહયોગ આપેલ હતો આ કાર્યક્રમની અંતમાં સમન્વય કન્યા છાત્રાલય મેઘપર (આહિર) દ્વારા  પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો  હતો.કાર્યક્મ સંયોજક વિનોદભાઈએ કાર્યક્રમનુ સંચાલન તથા આભાર વિધિ કરવામાં આવી હતી.




Latest News