મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ટ્રકમાં જ હાર્ટ એટેક આવી જતાં યુવાનનું મોત


SHARE







વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ટ્રકમાં જ હાર્ટ એટેક આવી જતાં યુવાનનું મોત

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસેથી ટ્રક લઈને યુવાન પસાર થતો હતો ત્યારે ટ્રકમાં તે યુવાનને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલા ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ ઈશ્વરભાઈ વિરાણી (૪૫) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસીયા ગામ પાસે આવેલ ટોલનાકા નજીકથી ટ્રકમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રકમાં જ તેને હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃત દેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે આરટીઓ ઓફિસ નજીક બે રીક્ષા સામ સામે અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં મોરબીના સોઓરડી પાસે આવેલ ઉમિયાનગરમાં રહેતા દિનેશભાઈ કલ્યાણજીભાઈ પરમાર યુવાનને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News