મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક હરીપર પાસે ડિવાઈડર ક્રોસ કરતાં ટ્રક ટ્રેલરના ઠાંઠામાં પાછળ બીજું ટ્રક ટ્રેલર અથડાતાં એક ડ્રાઈવરનું મોત


SHARE











માળીયા (મી) નજીક હરીપર પાસે ડિવાઈડર ક્રોસ કરતાં ટ્રક ટ્રેલરના ઠાંઠામાં પાછળ બીજું ટ્રક ટ્રેલર અથડાતાં એક ડ્રાઈવરનું મોત

માળીયા મિયાણા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામની બાજુમાં ડિવાઈડર ક્રોસ કરી રહેલા ટ્રક ટ્રેલરના ઠાંઠામાં પાછળ આવી રહેલ ટ્રક ટ્રેલર આથડયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં અકસ્માત સર્જનાર ટ્રક ટ્રેલરના ચાલકને પેટ અને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલા ટ્રક ડ્રાઇવર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઉપરલા ગામના રહેવાસી બુલારામ પૂરખારામ માંજુ જાતે બિસ્મોઈ (૫૧)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક પપ્પુકુમાર લાલમુની યાદવ રહે. ઉત્તર પ્રદેશ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, માળિયા મીયાણા નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા હરીપર ગામની બાજુમાં રેલવે ઓબરબ્રિજ પાસે ડિવાઈડર ક્રોસ કરી રહેલા ફરિયાદીના ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૪૪૩૬ ની પાછળના ભાગમાં આરોપી મૃતક પપ્પુકુમાર લાલમુનિ યાદવએ તેના હવાલા વાળા ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીએક્સ ૭૭૬૪ ને ધડાકા અથડાવ્યો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં પપ્પુકુમાર યાદવને પેટ અને માથાના ભાગે ગંભીએ ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં બુલારામ માંજુ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક પપ્પુકુમાર યાદવ સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News