મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક હરીપર પાસે ડિવાઈડર ક્રોસ કરતાં ટ્રક ટ્રેલરના ઠાંઠામાં પાછળ બીજું ટ્રક ટ્રેલર અથડાતાં એક ડ્રાઈવરનું મોત


SHARE











માળીયા (મી) નજીક હરીપર પાસે ડિવાઈડર ક્રોસ કરતાં ટ્રક ટ્રેલરના ઠાંઠામાં પાછળ બીજું ટ્રક ટ્રેલર અથડાતાં એક ડ્રાઈવરનું મોત

માળીયા મિયાણા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામની બાજુમાં ડિવાઈડર ક્રોસ કરી રહેલા ટ્રક ટ્રેલરના ઠાંઠામાં પાછળ આવી રહેલ ટ્રક ટ્રેલર આથડયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં અકસ્માત સર્જનાર ટ્રક ટ્રેલરના ચાલકને પેટ અને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલા ટ્રક ડ્રાઇવર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઉપરલા ગામના રહેવાસી બુલારામ પૂરખારામ માંજુ જાતે બિસ્મોઈ (૫૧)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક પપ્પુકુમાર લાલમુની યાદવ રહે. ઉત્તર પ્રદેશ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, માળિયા મીયાણા નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા હરીપર ગામની બાજુમાં રેલવે ઓબરબ્રિજ પાસે ડિવાઈડર ક્રોસ કરી રહેલા ફરિયાદીના ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૪૪૩૬ ની પાછળના ભાગમાં આરોપી મૃતક પપ્પુકુમાર લાલમુનિ યાદવએ તેના હવાલા વાળા ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીએક્સ ૭૭૬૪ ને ધડાકા અથડાવ્યો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં પપ્પુકુમાર યાદવને પેટ અને માથાના ભાગે ગંભીએ ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં બુલારામ માંજુ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક પપ્પુકુમાર યાદવ સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News