મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીનાં લક્ષ્મીનગર પાસે ઓફીસમાં ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત


SHARE











મોરબીનાં લક્ષ્મીનગર પાસે ઓફીસમાં ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત

મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ઓફીસમાં યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું ઘટના  સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરીને યુવાનને મૃતદેહને સિવિલે પીએમ માટે ખસેડાયો હતો અને હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ઓફીસમાં સંદિપ રૂગનાથભાઇ જેઠલોજા (ઉ.૩૮) રહે. નવી પીપળી વાળાએ કોઈ કારણોસર ગઇકાલે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પોતાની ઓફીસમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ભીમસર નજીક આવેલા ત્રણ માળીયામાં રહેતો વિપુલભાઈ રાજુભાઈ સોલંકી (૨૩) અને કિશોરભાઈ ભીમાભાઇ સોલંકી (૨૨) રહે.ભારતનગર સામેકાંઠે મોરબી-૨ વાળાઓને માળીયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામના બાયપાસ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા મુકેશભાઈ અશોકભાઈ દેલવાડીયા નામના ૨૨ વર્ષના યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર અર્થે સિવિલે ખસેડાયો હતો. તે રીતે જ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પ્રેમજીનગર ગામે થયેલ મારામારીના બનાવમાં જ્યોતિબેન ચમનભાઈ પરમાર નામના ૪૨ વર્ષીય મહીલાને સારવારમાં ખસેડાયા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યોતિબેનને તેઓના પતિએ માર માર્યો હતો જેથી તેમને સારવાર માટે ખસેડાયા છે.






Latest News