વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીનાં લક્ષ્મીનગર પાસે ઓફીસમાં ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત


SHARE











મોરબીનાં લક્ષ્મીનગર પાસે ઓફીસમાં ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત

મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ઓફીસમાં યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું ઘટના  સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરીને યુવાનને મૃતદેહને સિવિલે પીએમ માટે ખસેડાયો હતો અને હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ઓફીસમાં સંદિપ રૂગનાથભાઇ જેઠલોજા (ઉ.૩૮) રહે. નવી પીપળી વાળાએ કોઈ કારણોસર ગઇકાલે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પોતાની ઓફીસમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે ભીમસર નજીક આવેલા ત્રણ માળીયામાં રહેતો વિપુલભાઈ રાજુભાઈ સોલંકી (૨૩) અને કિશોરભાઈ ભીમાભાઇ સોલંકી (૨૨) રહે.ભારતનગર સામેકાંઠે મોરબી-૨ વાળાઓને માળીયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામના બાયપાસ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા મુકેશભાઈ અશોકભાઈ દેલવાડીયા નામના ૨૨ વર્ષના યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર અર્થે સિવિલે ખસેડાયો હતો. તે રીતે જ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પ્રેમજીનગર ગામે થયેલ મારામારીના બનાવમાં જ્યોતિબેન ચમનભાઈ પરમાર નામના ૪૨ વર્ષીય મહીલાને સારવારમાં ખસેડાયા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યોતિબેનને તેઓના પતિએ માર માર્યો હતો જેથી તેમને સારવાર માટે ખસેડાયા છે.






Latest News