વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૯મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ ૨૦૨૧ યોજાઈ


SHARE











મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૯મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ ૨૦૨૧ યોજાઈ

૨૯'મી નેશનલ સાયન્સ કોંગ્રેસનું આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે જાણીતા ખગોળ શાસ્ત્રી અને વૈજ્ઞાનિક તેમજ મુંબઈ સ્થિત ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના પ્રમુખ ડો.જે.જે.રાવલની અધ્યક્ષતામાં આ કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં ૫૫૪ જેટલા બાળ વૈજ્ઞાનિકો અને પ્રતિસ્પર્ધીઓમાંથી વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ્સપેપર પ્રેઝન્ટેશન નિર્ણાયક કમિટી સમક્ષ રજુ કરેલ હતા આ પ્રસંગે પોતાના પ્રસંગોચિત ઉદબોધનમાં જાણીતા ખગોળ શાસ્ત્રી ડો.જે.જે.રાવલે બાળકોમાં છુપાયેલ રચનાત્મક  શકિત બહાર આવે અને તેઓની સર્જનાત્મક શકિતને પ્રોત્સાહન રુપ પ્રેરક  આયોજન બદલ આયોજકોને અને ખાસ કરીને બાળ વૈજ્ઞાનિક સાંસદમાં પોતાના સુંદર  પ્રોજેક્ટ રજુ કરનાર બાળ વૈજ્ઞાનિકો અને તેમના શિક્ષકગણ, શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા અને બાળકોએ ૨૯મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સમાં કૃષિ,પાવર,રોડ ટ્રાફિક મેનેજમેન્ટ,બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોત,સોલાર ,સ્વચ્છતા અભિયાન થી લઇ  બ્રહ્માંડ અને અવકાશીય વિજ્ઞાનથી લઇ જંકફૂડ થી લઇ વિસરાતી જતી ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ સમાન લોકકલા,લોક વાદ્યોથી લઇ ભવાઈ કલાથી લઇ અનેકવિધ વિષય પર પોતાના અવનવા  પ્રોજેક્ટ ઉત્સાહ, ઉમંગ અને ઉત્કંઠા સાથે વિદ્યાર્થીઓએ રજુ કરેલ હતા આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના લલિતભાઈ ભટ્ટ તેમજ દીપેન ભટ્ટ સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News