ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમા ઝુલતા પુલ નીચે નદીમાં ડૂબી જવાથી ટંકરાના યુવાનનું મોત


SHARE











મોરબીમા ઝુલતા પુલ નીચે નદીમાં ડૂબી જવાથી ટંકરાના યુવાનનું મોત

મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીમાં ઝુલતા પુલ નીચે ગઇકાલે ટંકારાનો યુવાન ન્હાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર પાણીમાં ડૂબી જવાના લીધે આ યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડીને બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા દ્રારકાધીશ જીનની બાજુમાં રહેતો રઘુભાઇ ગોરધનભાઇ કુંઢીયા (ઉ.૩૫) ગઇકાલે મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીમાં ઝુલતા પુલ નીચે પાણીના કોઝવેમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર પાણીમાં ડૂબી જવાના લીધે આ યુવાનનું મોત નીપજયું હતું અને તેની બોડીને તરવૈયાઓની મદદથી પાણીમાંથી બાહર કાઢવામાં આવી હતી અને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને તે બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને બનાવની જાણ કરવામાં આવતા બી ડીવીજન પોલીસ મથકના ફિરોજભાઇ સુમરાએ બનાવની નોંધ કરીને તપાસ શરૂ કરતા ખુલ્યુ હતું કે મૃતક યુવાન તેના કૌટુંબિક સગાની સાથે ટંકારાથી કપડાની ખરીદી કરવા માટે મોરબી આવ્યો હતો અને તેઓ મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા માટે ગયા હતા તે દરમિયાનમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે જેને પગલે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

નકલી ચલણી નોટ
 
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બેન્કના એટીએમમાં કોઈ ખાતેદાર રૂા.બે હજારના દરની ચલણી નોટ ધાબડી ગયો હોવાનું સામે આવ્યું છે.
મોરબી એ ડીવીજન પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના એયુ સ્મોલ ફાયનાન્સ બેંકના એટીએમ મશીનમાં કોઈ ખાતેદાર રૂપિયા બે હજારના દરની બનાવટી ચલણી નોટ જમા કરાવી ગયેલ હોય તે અંગે બ્રાન્ચ મેનેજર ભાવિન દિનેશ મેહતલીયા જૈન વાણીયા (૩૭) રહે.રવાપર રોડ રામેશ્વર સોસાયટીએ આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ હાલમાં પીએસઆઇ વી.આર.શુકલએ આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.





Latest News