મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ વિધાનસભાની ચુંટણી પહેલા કરેલ આગમવાણી રાજકોટ બેઠક માટે સાચી ઠરી


SHARE







વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ વિધાનસભાની ચુંટણી પહેલા કરેલ આગમવાણી રાજકોટ બેઠક માટે સાચી ઠરી

ગઈકાલે ભાજપ દ્વારા લોકસભાની ૧૯૦ કરતાં વધુ બેઠકો ઉપર તેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં રાજકોટ બેઠક ઉપર વર્તમાન સંસદ મોહનભાઈ કુંડારીયાને ટિકિટ ન આપતા તેઓની જગ્યાએ પરસોતમભાઈ રૂપાલાનું નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને તેઓના ટેકેદારોની હાજરીમાં માર્કેટ ચોક ખાતે આતિશબાજી કરવામાં આવી હતી અને ઢોલના તાલે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના ભાજપના આગેવાનો હોદ્દેદારોને કાર્યકરો ઝુમી ઊઠ્યા હતા અને ત્યારે મીડિયા સાથે વાત કરતા જીતુભાઈ સોમાણીએ કહ્યું હતું કે પરસોતમભાઈ રૂપાલા લોકોને સાથે રહીને ચાલે તેવા વ્યક્તિ છે અને તે કોઈને ગાળો આપશે નહીં, તે કોઈને ધમકાવશે નહીં અને આગામી લોકસભાની ચૂંટણીમાં તે ૧૦૦ ટકા પાંચ લાખથી વધુની લીડ સાથે રાજકોટની બેઠક ઉપરથી ચુંટાશે તેવો વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણી પહેલાથી મોહનભાઈ કુંડારીયા અને જીતુભાઈ સોમાણી વચ્ચે રાજકીય ખેંચતાણ હોય તેવી અનેક ઘટનાઓ બની હતી અને જે તે સમયે જીતુભાઈ સોમાણી સ્પષ્ટપણે કહેતા હતા કે આગામી લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠક ઉપર પરિવર્તન આવશે અને તેઓએ અગાઉ કરેલી આગમવાણી જાણે કે અત્યારે સાચી ઠરી હોય તેઓ ઘાટ ભાજપે જાહેર કરેલ ઉમેદવારોની યાદીમાં જોવા મળી રહ્યો છે અને રાજકોટની બેઠક ઉપર પરસોત્તમભાઈ રૂપાલાને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારે વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી તથા તેના ટેકેદારોમાં ઉત્સાહાની લાગણી જોવા મળી રહી છે






Latest News