મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી રેલ્વે સ્ટેશને ૯.૯૮ કરોડના ખર્ચે થઈ રહેલા વિકાસકામોને પીએમએ લોકાર્પણ કર્યું


SHARE











મોરબી રેલ્વે સ્ટેશને ૯.૯૮ કરોડના ખર્ચે થઈ રહેલા વિકાસકામોને પીએમએ લોકાર્પણ કર્યું

અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત ૫૫૪ રેલ્વે સ્ટેશનના રિનોવેશન અને નવી સુવિધા ઇ\ઊભી કરવાના કામ કરવામાં આવી રહ્યા છે અને આવેલ છે તેના લોકાર્પણ અને ખાતમહુર્તના કરોડો રૂપિયાના કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુયલ હાજરીમાં કરવામાં આવેલ છે ત્યારે મોરબી રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા મોરબીમાં રાજાશાહી સમયના બનાવવામાં આવેલ ઐતિહાસિક રેલવે સ્ટેશનનું હાલમાં પશ્ચિમ રેલવે દ્વારા ૯.૯૮ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત રેલવે સ્ટેશન ખાતે પીવાના પાણીની પરબ, પ્લેટફોર્મ પર સેડ, વેઈટિંગ રૂમ, શૌચાલય સહિતની સુવિધા વધારવામાં આવશે અને ભવિષ્યમાં મોરબીને લાંબા અંતરની ટ્રેન મળશે તેવી લાગણી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે આ તકે શાળામાં યોજાયેલ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતા બાળકોને સન્માનીત કરવામાં આવ્યા હતા






Latest News