તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખનો સત્કાર સમારોહ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખની હાજરીમાં યોજાશે


SHARE











મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખનો સત્કાર સમારોહ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખની હાજરીમાં યોજાશે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે કિશોરભાઈ ચીખલીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વરણી કરવામાં આવેલ છે ત્યારે તેમનો પદગ્રહણ સમારોહ અને સત્કાર સમારોહ મોરબીમાં રવાપર પાસે આવેલ ઉજજ્વલ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તેમજ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અને માજી ધારાસભ્યો સહિતના લોકો હાજર રહેવાના છે અને તેની આમંત્રણ પત્રિકા હાલમાં વાંકાનેર તાલુકા અને હળવદ તાલુકા કોંગ્રેસના સ્થાનિક આગેવાનોને નવનિયુક્ત પ્રમુખ અને તેની ટીમ દ્વારા પહોંચાડવામાં આવી છે

તાજેતરમાં ગુજરાતના ૧૩ જિલ્લાઓના કોંગ્રેસના પ્રમુખ બદલવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસનો પણ સમાવેશ થાય છે અને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વરણ કરવામાં આવેલ છે ત્યારે કિશોરભાઈ ચીખલીયાનો પદગ્રહણ સમારોહ અને સત્કાર સમારોહ આગામી તારીખ ૨/૩/૨૪ ના રોજ બપોરે ચાર કલાકે મોરબી નજીકના રવાપર ગામે આવેલ ઉજજ્વલ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે આ સત્કાર સમારોહ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકજી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના છે તે ઉપરાંત કોંગ્રેસના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, જાવેદભાઈ પીરજાદા, ઋત્વિક ભાઈ મકવાણા, લલિતભાઈ વસોયા તેમજ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી સેલના કાર્યકારી અધ્યક્ષ રાજુભાઈ આહીર, ગુજરાત રાજીવ ગાંધી પંચાયત રાજના ચેરમેન કે.ડી. બાવરવા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનોજભાઈ પનારા સહિતના હાજર રહેવાના છે અને આ સરકાર સમારોહ કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે થઈને નવનિયુક્ત પ્રમુખ અને તેની ટીમ આજે વાંકાનેર પહોંચી હતી અને વાંકાનેર કુવાડવાના માજી ધારાસભ્ય જાવેદભાઇ પીરજાદા તથા તાલુકા કોંગ્રેસની ટીમ સાથે રૂબરૂ મુલાકાત કરીને તેઓને કાર્યક્રમમાં હાજર રહેવા માટે થઈને આમંત્રણ આપવામાં આવ્યું છે આવી જ રીતે હળવદ, માળીયા, ટંકારા અને મોરબી પંથકમાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમને કાર્યક્રમમાં હાજર રહેવા માટે થઈને પ્રમુખ અને તેઓની ટીમ દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે






Latest News