ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મેળામાંથી એક મોબાઈલની ચોરી કરનારા આરોપીની ધરપકડ: ૬૩ મોબાઈલ ફોનની ચોરી કરનારા આરોપીઓ ક્યાં ?


SHARE











મોરબીમાં મેળામાંથી એક મોબાઈલની ચોરી કરનારા આરોપીની ધરપકડ: ૬૩ મોબાઈલ ફોનની ચોરી કરનારા આરોપીઓ ક્યાં ?

મોરબીના રફાળેશ્વર ગામે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસોમાં મેળો યોજાયો હતો તે મેળામાં મોબાઈલ ફોનની ચોરી થઈ હતી જે બનાવની યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં એલસીબીની ટીમે આરોપીને પકડીને આરોપીને તાલુકા પોલીસ હવાલે કરેલ છે જો કે, મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા તાજેતરમાં ૬૩ ખોવાયેલા અને ચોરાયેલ મોબાઈલ શોધીને મૂળ માલિકોને પરત આપવામાં આવેલ છે જો કે, ચોરાયેલા મોબાઈલ ફોન જેની પાસેથી મળી આવ્યા હોય તે ચોરને કેમ પકડવામાં આવ્યા નથી તે તપાસનો વિષય છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા સંજયભાઈ રસિકભાઈ તલસાણીયા જાતે સુથાર (૩૦) અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા મહિનાઓ પહેલા ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, શ્રાવણ મહિનાના છેલ્લા દિવસોમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરની બાજુમાં મેળો યોજાયો હતો જેમાં તે આવ્યો હતો અને મેળાના ગ્રાઉન્ડ ખાતેથી તેના મોબાઈલની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ઓપો કંપનીના ૫૦૦૦  રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને એલસીબીની ટીમ દ્વારા આ ગુનામાં આરોપી જસવંત બાબાસિંગ સોલંકી (૩૯) રહે. વાઘોડિયા ચોકડી ઓવરબ્રિજ નીચે વડોદરા મૂળ રહે એમપી વાળાની ધરપકડ કરેલ છે અત્રે ઉલેખનીય છેકે, મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા તાજેતરમાં એક પ્રેસનોટ આપવામાં આવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ખોવાયેલા અને ચોરાયેલ ૬૩ મોબાઈલ ફોન શોધીને તેના મૂળ માલીકને પરત આવામાં આવેલ છે જેના ખોવાયેલા મોબાઈલ કોની પાસેથી મળ્યા ? રસ્તા ઉપર રેઢા પડ્યા હતા ? કે પછી કોઈ વ્યક્તિઓ પાસેથી મળી આવેલ છે ? તેની કોઈ સ્પષ્ટતા નથી આટલું જ નહીં ચોરાયેલા મોબાઈલ ફોન કોની પાસેથી મળી આવ્યા ? મોબાઇલની ચોરી કોને કરી હતી ? આવી કોઈ બાબતની સ્પષ્ટતા કરવામાં આવેલ નથી જેથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે






Latest News