ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે ખેતરમાં મોનોકોટો પી ગયેલ યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત, પત્ની સાથે ઝઘડો હોવાનું માતાનું કથન


SHARE











મોરબીના પીપળી ગામે ખેતરમાં મોનોકોટો પી ગયેલ યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત, પત્ની સાથે ઝઘડો હોવાનું માતાનું કથન

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી-બેલા નજીક આવેલ મામાદેવના મંદિર પાસે ખેતરમાં યુવાન મોનોકોટો ફોર્સ નામની ઝેરી દવા પી ગયો હતો જેથી તેને પ્રથમ મોરબીની જેઆર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને ત્યાંથી તેના પરિવારજનો તેને શહેરના સનાળા રોડ સરદાર બાગ પાસે આવેલ ડો.પી.એન.આશરની સંજીવની મેડિકલ નર્સિંગ હોમ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે અને પોલીસે કરેલ પ્રાથમિક તપાસમાં મૃતકને તેના પત્ની સાથે અણબનાવ બન્યો હોય અને તે ઝઘડાની વાતનું લાગી આવતા પગલું ભર્યું હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.જોકે ખરેખર કારણ શું છે..? તે દિશામાં તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મોરબી તાલુકાના આમરણ ગામના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ ઉપર રહીને ભંગારનું લે-વેચ કરવાનું કામકાજ કરતા પરિવારનો આકાશ મનોજભાઈ આમલીયા દેવીપુજક (ઉમર ૨૫) નામનો પરિણિત યુવાન ગત તા.૧૫-૨ ના સાંજના ચારેક વાગ્યે પીપળી-બેલા રોડ ઉપર આવેલ મામાદેવના મંદિર પાસે "બાથરૂમ જાઉં છું" તેમ કહીને બાજુના ખેતરમાં જઈ મોનોકોટો ફોર્સ નામની ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને સારવાર માટે જેઆર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર બાદ તેના પરિવારજનો તેને સનાળા રોડ ઉપર આવેલ ડોક્ટર પી.એન.આશરની સંજીવની નર્સિંગ હોમ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન આકાશ મનોજભાઈ આમલીયા દેવીપુજક (ઉંમર ૨૫) હાલ રહે.લીલાપર રોડ મોરબી નું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.જેથી તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલએ ખસેડાયો હોય આ બનાવની હોસ્પિટલ ખાતેથી યાદી આવતા મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા તથા રાઇટર નરેશભાઈ રીબડીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાં સામે આવ્યું હતું કે મૃતક આકાશ તેના ભાઈ સહિતના પરિવારજનો સાથે હાલ લીલાપર રોડ ઉપર રહેતો હતો અને ભંગારના લે-વેચનું કામકાજ કરતો હતો.ગત તા.૧૫-૨ ના સાંજના ચારેક વાગ્યે પોતાના ભાઈ સાથે પીપળી-બેલા રોડ તરફ ભંગાર જોવા માટે અને ભંગાર લે-વેચ ના પૈસા લેવા માટે ગયો હતો. દરમિયાનમાં તેના ભાઈને તેણે કહ્યું હતું કે "હું બાથરૂમ કરવા જાઉં છું" તેમ કહીને તે પીપળી-બેલા રોડ ઉપર મામાદેવના મંદિર પાસે આવેલ ખેતરમાં ગયો હતો અને ત્યાં તેણે મોનોકોટો ફોર્સ નામની ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને સારવાર માટે જેઆર હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો અને ત્યાંથી તેના પરિવારજનો તેને તા.૧૭-૨ ના બપોરે એકાદ વાગ્યે ડોક્ટર આશકની હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેનું ટૂંકી સારવાર બાદ તા.૧૮-૨ ના સવારે આઠેક વાગ્યે મોત નીપજ્યું હતું.હાલ હોસ્પિટલ ખાતેથી આવેલી યાદી આધારે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી તપાસ હાથ ધરાય છે.મૃતકના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.આ બાબતે પોલીસે મૃતકના પરિવારજનો સાથે વાતચીત કરી હતી દરમિયાનમાં મૃતકના માતા પાસેથી પોલીસને પ્રાથમિક વિગતોમાં જાણવા મળેલ છે કે મૃતકને તેના પત્ની સાથે બોલાચાલી ઝઘડો થયો હતો જોકે તે બાબતે જ આ પગલું ભરાયું છે..? કે અન્ય કોઈ વાત છે..? તે દિશામાં તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા આગળની તજવીજ હાથ ધરાયેલ છે.

દવા પી જતા સગીરા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના લજાઈ ગામે છગનભાઈ દેવકરણભાઈ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારની ભારતીબેન રમેશભાઈ ભાંભર નામની ૧૬ વર્ષની સગીરા કોઈ અગમ્ય કારણોસર દવા પી ગઈ હતી.જેથી કરીને તેને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અહીં હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી અને આ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.

દાઝી ગયેલા વૃદ્ધા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી ફાટક પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા હંસાબેન મોહનભાઈ ભટ્ટ બ્રાહ્મણ નામના ૬૦ વર્ષના વૃદ્ધા દાઝી ગયા હતા જેથી તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.હિમાલીબેન જયદીપભાઇ ભટ્ટ દ્વારા તેઓને સારવારમાં ખસેડાયા હતા અને પોલીસને જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયાએ તપાસ કરતા સામે આવ્યું હતું કે, હંસાબેન ભટ્ટ ઘરે સૂર્યને પાણીનો અર્ઘ દેતા હતા ત્યારે નીચે તુલસીમાં રાખવામાં આવેલો દીવો તેઓના ગાઉનમાં અડી જતા આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેમાં તેઓ દાજી ગયા હોવાથી સારવારમાં લાવવામાં આવ્યા હતા.






Latest News