ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસની આંશિક કામગીરી : ખોવાયેલા ૬૩ મોબાઈલ શોધીને લોકોને પરત તો કર્યા પણ તસ્કરો ક્યાં..?


SHARE











મોરબીમાં પોલીસની આંશિક કામગીરી : ખોવાયેલા ૬૩ મોબાઈલ શોધીને લોકોને પરત તો કર્યા પણ તસ્કરો ક્યાં..?

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કાબીલેદાદ કામગીરી કરવામાં આવેલ છે.જેમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હુકુમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.વી.પાતળિયા તથા એએસઆઈ રાજદીપસિંહ રાણા અને ડી-સ્ટાફના એ.પી.જાડેજા, ચકુભાઈ કલોતરા, કિશોરભાઈ મિયાત્રા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, હિતેશભાઈ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઈ લોખિલ, તેજાભાઈ ગરચર અને અરજણભાઈ ગરીયા સહિતના સ્ટાફે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા કે ચોરાયેલા ૬૩ જેટલા મોબાઈલો શોધીને મોબાઇલના મૂળ માલીકોને બોલાવીને પરત આપ્યા હતા.

એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને સતત તેના ઉપર મોનિટરિંગ કરી તેમાં ખોવાયેલા મોબાઈલ કે ચોરાયેલા મોબાઈલના બીલ ઉપરથી તે મોબાઇલ નંબરોને વીઝીટેશનમાં મુકીને તેના આઇપી એડ્રેસ આધારે સર્ચ તપાસ કરીને ૬૩ જેટલા મોબાઈલ ધારકોના ખોવાયેલા કે ચોરાયેલા રૂા.૧૧,૫૧,૩૭૨ ની કિંમતના મોબાઈલો શોધી કાઢીને મૂળ મોબાઇલ માલિકોને સોંપવામાં આવ્યા હતા.જે બદલ મોબાઇલ પરત મળેલ મોબાઈલ ધારકો દ્વારા પોલીસની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી અને પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.પોલીસની આ કામગીરી ખરેખર પ્રશંસાનેપાત્ર છે તેમા કોઇ બેમત નથી.આજના સમયમાં કિંમતી મોબાઈલ પરત મળે તે ખરેખર પ્રશંસાપાત્ર કામગીરી છે.પરંતુ આ કામગીરીને અંશતઃ પણ કહી શકાય કારણ કે ૬૩ જેટલા મોબાઈલ ખોવાણા કે ચોરાણા અને તેની અરજીઓ લેવામાં આવી અને અરજી અને બીલના આધારે તેના ઇએમઆઈ નંબરોના આધારે વોચ ગોઠવીને આઈપી એડ્રેસના મારફતે ૬૩ જેટલા મોબાઈલો શોધીને મોબાઈલ ધારકોને મોબાઇલો તો પરત મળી ગયા પરંતુ જે લોકોએ આ મોબાઇલ ચોર્યા હતા તે લોકોનું શું..? તેના ઉપર ચોરી અંગે ફરિયાદ નોંધાશે ખરી..? તો ચોરીના કેટલા ગુના થશે..? તે પણ એક વિચારવા લાયક પ્રશ્ન છે.






Latest News