મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસની આંશિક કામગીરી : ખોવાયેલા ૬૩ મોબાઈલ શોધીને લોકોને પરત તો કર્યા પણ તસ્કરો ક્યાં..?


SHARE











મોરબીમાં પોલીસની આંશિક કામગીરી : ખોવાયેલા ૬૩ મોબાઈલ શોધીને લોકોને પરત તો કર્યા પણ તસ્કરો ક્યાં..?

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કાબીલેદાદ કામગીરી કરવામાં આવેલ છે.જેમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હુકુમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.વી.પાતળિયા તથા એએસઆઈ રાજદીપસિંહ રાણા અને ડી-સ્ટાફના એ.પી.જાડેજા, ચકુભાઈ કલોતરા, કિશોરભાઈ મિયાત્રા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, હિતેશભાઈ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઈ લોખિલ, તેજાભાઈ ગરચર અને અરજણભાઈ ગરીયા સહિતના સ્ટાફે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલા કે ચોરાયેલા ૬૩ જેટલા મોબાઈલો શોધીને મોબાઇલના મૂળ માલીકોને બોલાવીને પરત આપ્યા હતા.

એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરીને સતત તેના ઉપર મોનિટરિંગ કરી તેમાં ખોવાયેલા મોબાઈલ કે ચોરાયેલા મોબાઈલના બીલ ઉપરથી તે મોબાઇલ નંબરોને વીઝીટેશનમાં મુકીને તેના આઇપી એડ્રેસ આધારે સર્ચ તપાસ કરીને ૬૩ જેટલા મોબાઈલ ધારકોના ખોવાયેલા કે ચોરાયેલા રૂા.૧૧,૫૧,૩૭૨ ની કિંમતના મોબાઈલો શોધી કાઢીને મૂળ મોબાઇલ માલિકોને સોંપવામાં આવ્યા હતા.જે બદલ મોબાઇલ પરત મળેલ મોબાઈલ ધારકો દ્વારા પોલીસની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી અને પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.પોલીસની આ કામગીરી ખરેખર પ્રશંસાનેપાત્ર છે તેમા કોઇ બેમત નથી.આજના સમયમાં કિંમતી મોબાઈલ પરત મળે તે ખરેખર પ્રશંસાપાત્ર કામગીરી છે.પરંતુ આ કામગીરીને અંશતઃ પણ કહી શકાય કારણ કે ૬૩ જેટલા મોબાઈલ ખોવાણા કે ચોરાણા અને તેની અરજીઓ લેવામાં આવી અને અરજી અને બીલના આધારે તેના ઇએમઆઈ નંબરોના આધારે વોચ ગોઠવીને આઈપી એડ્રેસના મારફતે ૬૩ જેટલા મોબાઈલો શોધીને મોબાઈલ ધારકોને મોબાઇલો તો પરત મળી ગયા પરંતુ જે લોકોએ આ મોબાઇલ ચોર્યા હતા તે લોકોનું શું..? તેના ઉપર ચોરી અંગે ફરિયાદ નોંધાશે ખરી..? તો ચોરીના કેટલા ગુના થશે..? તે પણ એક વિચારવા લાયક પ્રશ્ન છે.






Latest News