મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના જુના ઘાટીલા ગામે ઘરમાંથી ૭ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE







માળિયા (મી)ના જુના ઘાટીલા ગામે ઘરમાંથી ૭ બોટલ દારૂ સાથે એક પકડાયો

માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે ઝાંપા પાસે રહેતા શખ્સનાં ઘરે દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી અને ત્યારે ઘરમાંથી દારૂની સાત બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૧૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે ઘાણેલશા પીરની દરગાહ પાસે રહેતા રજાકભાઈ ચાનિયાના ઘરમાં દારૂનો જથ્થો હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે આરોપીના ઘરમાંથી દારૂની સાત બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૧૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રજાકભાઈ હમીરભાઇ ચાનિયા (૩૯) રહે. જુના ઘાટીલા વાળાની ધરપકડ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુ તપાસ વી.ટી. સિહોરા ચલાવી રહ્યા છે

આધેડ સારવારમાં

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા દાઉદભાઈ અલ્લારખાભાઈ લંઘા નામના ૫૫ વર્ષના આધેડને જીંજુડા ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરાતા બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં દક્ષ અનિલભાઈ સોમૈયા (ઉમર ૨૦) રહે.વાવડી રોડ વાળાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ હાથ ધરાઈ હતી.






Latest News