વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

માળિયા (મી)ના જુના ઘાટીલા ગામે ઘરમાંથી ૭ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE











માળિયા (મી)ના જુના ઘાટીલા ગામે ઘરમાંથી ૭ બોટલ દારૂ સાથે એક પકડાયો

માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે ઝાંપા પાસે રહેતા શખ્સનાં ઘરે દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી અને ત્યારે ઘરમાંથી દારૂની સાત બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૧૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે ઘાણેલશા પીરની દરગાહ પાસે રહેતા રજાકભાઈ ચાનિયાના ઘરમાં દારૂનો જથ્થો હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે આરોપીના ઘરમાંથી દારૂની સાત બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૧૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રજાકભાઈ હમીરભાઇ ચાનિયા (૩૯) રહે. જુના ઘાટીલા વાળાની ધરપકડ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુ તપાસ વી.ટી. સિહોરા ચલાવી રહ્યા છે

આધેડ સારવારમાં

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા દાઉદભાઈ અલ્લારખાભાઈ લંઘા નામના ૫૫ વર્ષના આધેડને જીંજુડા ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરાતા બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં દક્ષ અનિલભાઈ સોમૈયા (ઉમર ૨૦) રહે.વાવડી રોડ વાળાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ હાથ ધરાઈ હતી.






Latest News