હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે જખરી માઁ ના નવનિર્મિત મંદિરને દર્શન માટે ખુલ્લુ મુકાયું


SHARE











મોરબીના રંગપર ગામે જખરી માઁ ના નવનિર્મિત મંદિરને દર્શન માટે ખુલ્લુ મુકાયું

મોરબી તાલુકાનાં રંગપર ગામે જખરી માઁ ના નવનિર્મિત મંદિરે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દફ્તરી અને મહેતા કુટુંબના લોકો સહપરિવાર હાજર રહ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય દાતા કમલેશભાઈ અને દીપ્તિબહેનની સેવા અજોડ રહી હતી. અને કુટુંબના મોભી, માર્ગદર્શક રમેશભાઈ પ્રભાશંકર અને તરલાકાકીની ઉપસ્થિતી એ પ્રોગ્રામને ચાર ચાંદ લગાડ્યા હતા. તેમજ શાસ્ત્રીજી નીખિલભાઈએ સંગીતમય શૈલીમાં હવન કરાવ્યો હતો તેમજ ધજાની શોભાયાત્રા અતિ ઉલ્લાસ સાથે નીકળી હતી અને માઁ ના મંદિર ધજા અને સાથે ત્રિશૂળ અને ૐ તથા માઁ ના ફોટા સાથેનું ડેકોરેશન ચેરમેન કેતનના ધર્મપત્ની દિપ્તીએ કરી હતી આ મંદિરના પૂજારી ભાનુભાઈએ બાંધકામમાં સતત હાજરી આપી હતી અને અને માઁ ની અખંડ જ્યોતની જાળવણી કરી દરેકને આશીર્વાદ આપ્યા હતા. મંદિર બાંધકામ સમિતિના પ્રોજેક્ટ ચેરમેન કેતનભાઈ રમેશભાઈ દફતરીનો કમિટીના પ્રમુખ તુષારભાઈ ધીમંતભાઈ દફતરી અને ખજાનચી નીરવભાઈ નવનીતભાઈ દફતરી અને આ ત્રિપુટીના ધર્મપત્ની દિપ્તી કેતનભાઇ, શીતલ તુષારભાઈ, હેતલ નીરવભાઈનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો. તેમ ચંદ્રકાન્તભાઈ દફતરીની યાદીમાં જણાવાયું છે.




Latest News