મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી ૧૪,૭૦૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE







મોરબીના વાવડી રોડે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારી ૧૪,૭૦૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબીના વાવડી રોડ પર આવેલ રામદેવપીરના મંદિરથી આગળના ભાગમાં આવેલ શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૪,૭૦૦ ની કિંમતની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીથી આગળના ભાગમાં રામદેવપીરના મંદિર પછીની શેરીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળી જુગાર રમતા હોવાથી હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે મનીષભાઈ દેવકરણભાઈ ખાણધર (૩૪) રહે. કારીયા સોસાયટી રામદેવપીર મંદિર વાળી શેરી મોરબી, મથુરભાઈ ગોકળભાઈ કારેથા (૨૬) રહે. ભગવતી પરા શેરી નં-૬ મોરબી, અસલમભાઈ કાસમભાઇ દલવાડી (૩૪) રહે. મહેન્દ્રપરા ઘાંચી શેરી મોરબી, કાદરભાઈ દાઉદભાઈ શેખ (૩૧) રહે. લાતી પ્લોટ શેરી નં-૧૪ મોરબી અને પરેશભાઈ મનુભાઈ પાટડીયા (૪૫) રહે. મહેન્દ્રપરા શેરી નં-૧૪ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૪,૭૦૦ ની કિંમતની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

માર માર્યો

મોરબીમાં એલઈ કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા ભરતભાઈ ભવનભાઈ ગાંગડીયા (૩૦) નામના યુવાનને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News