સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ખોજા જમાતખાના-ઉમા ટાઉનશીપ ખાતે અક્ષત કળશનું સ્વાગત-પૂજન કરાયું


SHARE





મોરબીમાં ખોજા જમાતખાના-ઉમા ટાઉનશીપ ખાતે અક્ષત કળશનું સ્વાગત-પૂજન કરાયું

મોરબીના દાઉદી પ્લોટમાં આવેલ ઈસમાઈલી ખોજા જમાતખાના ખાતે અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યાં ખોજા જમાતખાનાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો સહિતના ખોજા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવી જ રીતે મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપમાં અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશનું સ્વાગત અને પૂજન કરાયું હતું અત્રે ઉલેખનીય છે કે, આગામી ૨૨ મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે તે પહેલા દરેક જિલ્લા, તાલુકા અને શહેરમાં અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશની યાત્રા યોજાય છે જેમાં ઠેર ઠેર સ્વાગત, પુજન સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીની ઉમા ટાઉનશીપમાં આ યાત્રા આવી પહોચી હતી ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ભાજપના આગેવાન ગોપાલભાઈ સરડવા સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા




Latest News