ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો


SHARE











મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા ૧૪ મો સ્નેહમિલન સમારોહ મોરબી નજીકના રામધન આશ્રમ ખાતે પ્રભુદાસ બાપુ (મહંત માતૃશ્રી રામબાઈ માં ધામ- વવાણીયા) તેમજ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેન હાજરીમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના ૫૦૦ પરિવારે ભાગ લીધો હતો તેમાં કે.જી. થી લઈને ધો ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનારા તમામ બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા અને  એક થી ત્રણ નંબર મેળવેલ બાળકોને વિશેષ ઇનામ આપવામાં આવ્યા હતા આ સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે ૧૨ દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ક્લાસ વન અને ટુ ના આહિર કર્મચારી અધિકારીઓએ સ્ટેજ શોભાવ્યું હતું. ત્યારે મંડળના મંત્રી મયુરભાઈ ગજીયા દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજીવન દાતા ચંદુભાઈ હુંબલ તેમજ જીવનભાઈ ડાંગર સહિતનાઓએ પ્રાસંગિક પ્રવચન સાથે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મયુરભાઈ ગજીયા સાથે સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અને અંતમાં સંસ્થાના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગરએ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News