ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો


SHARE











મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા ૧૪ મો સ્નેહમિલન સમારોહ મોરબી નજીકના રામધન આશ્રમ ખાતે પ્રભુદાસ બાપુ (મહંત માતૃશ્રી રામબાઈ માં ધામ- વવાણીયા) તેમજ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેન હાજરીમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના ૫૦૦ પરિવારે ભાગ લીધો હતો તેમાં કે.જી. થી લઈને ધો ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનારા તમામ બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા અને  એક થી ત્રણ નંબર મેળવેલ બાળકોને વિશેષ ઇનામ આપવામાં આવ્યા હતા આ સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે ૧૨ દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ક્લાસ વન અને ટુ ના આહિર કર્મચારી અધિકારીઓએ સ્ટેજ શોભાવ્યું હતું. ત્યારે મંડળના મંત્રી મયુરભાઈ ગજીયા દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજીવન દાતા ચંદુભાઈ હુંબલ તેમજ જીવનભાઈ ડાંગર સહિતનાઓએ પ્રાસંગિક પ્રવચન સાથે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મયુરભાઈ ગજીયા સાથે સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અને અંતમાં સંસ્થાના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગરએ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News