ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજુર


SHARE











વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં પકડાયેલા બે આરોપીના જામીન મંજુર

મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા બાદમાં વકીલ મારફતે જામીન માટે અરજી કરી હતી જેમાં કોર્ટે તે બંને આરોપીના જામીન મંજૂર કરેલ છે

વાંકાનેર નજીક વઘાસિયા પાસે ટોલ પ્લાઝા આવેલ છે આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા જે અંગેની ગત તા ૪ ડિસેમ્બરના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી અને તે બંનેના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને બંને આરોપીના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન અરજી કરેલ હતી જેમાં વાંકાનેરના યુવા એડવોકેટ અને વાંકાનેર બાર એસો.ના પૂર્વ પ્રમુખ મયુરસિંહ એસ. પરમાર દ્વારા દલીલ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટને લગતા ચુકાદાઓ જામીન અરજીમાં રજૂ કરેલ હતા જે ચુકાદાઓને ધ્યાનમાં રાખીને હાલની રેગ્યુલર જામીન અરજી વાંકાનેર કોર્ટે મંજુર કરેલ છે આ કેસમાં આરોપીના એડવોકેટ તરીકે મયુરસિંહ એસ. પરમાર, ભગીરથસિંહ જાડેજા, વિજય આર. બાંભવા, યોગીરાજસિંહ ઝાલા અને તેજપાલસિંહ ઝાલા  રોકાયેલા હતા






Latest News