મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના ખીજડીયા ગામે ખૂંટીયા ઉપર જ્વલંતશીલ પ્રવાહી નાખનારા બે શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરના ખીજડીયા ગામે ખૂંટીયા ઉપર જ્વલંતશીલ પ્રવાહી નાખનારા બે શખ્સ સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે આવેલ ખરાવાડ વિસ્તારમાં ખૂંટીયા ઉપર બે શખ્સ દ્વારા જ્વલંતશીલ પ્રવાહી નાખવામાં આવ્યું હતું જેથી હાલમાં આ ઘટના સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામની સીમમાં આવેલ ખારાવાડમાં રજડતા ખૂંટીયા ઉપર જ્વલંતશીલ પ્રવાહી નાખવામાં આવ્યું હતું જે ઘટનાને લઈને ખીજડીયા રાજ ગામે રહેતા જીવણદાસ વીરદાસ મકવાણા જાતે અનુ. જાતી (૭૨)એ હાલમાં ઇલમુદ્દીનભાઈ ઇબ્રાહીમભાઇ વકાલીયા અને ઈસ્માઈલભાઈ જલાલભાઈ શેરસીયા રહે. બંને ખીજડીયા વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૨૯, ૧૧૪ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧ (૧) (એ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે






Latest News