ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના ખીજડીયા ગામે ખૂંટીયા ઉપર જ્વલંતશીલ પ્રવાહી નાખનારા બે શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરના ખીજડીયા ગામે ખૂંટીયા ઉપર જ્વલંતશીલ પ્રવાહી નાખનારા બે શખ્સ સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે આવેલ ખરાવાડ વિસ્તારમાં ખૂંટીયા ઉપર બે શખ્સ દ્વારા જ્વલંતશીલ પ્રવાહી નાખવામાં આવ્યું હતું જેથી હાલમાં આ ઘટના સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામની સીમમાં આવેલ ખારાવાડમાં રજડતા ખૂંટીયા ઉપર જ્વલંતશીલ પ્રવાહી નાખવામાં આવ્યું હતું જે ઘટનાને લઈને ખીજડીયા રાજ ગામે રહેતા જીવણદાસ વીરદાસ મકવાણા જાતે અનુ. જાતી (૭૨)એ હાલમાં ઇલમુદ્દીનભાઈ ઇબ્રાહીમભાઇ વકાલીયા અને ઈસ્માઈલભાઈ જલાલભાઈ શેરસીયા રહે. બંને ખીજડીયા વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૨૯, ૧૧૪ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧ (૧) (એ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે






Latest News