મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારીઓનું સ્નેહમિલન-સંગીત સંધ્યાનું આયોજન


SHARE











મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારીઓનું સ્નેહમિલન-સંગીત સંધ્યાનું આયોજન

મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારી મંડળ દ્વારા જુદા જુદા સરકારી વિભાગમાં ફરજ બજાવતા એસ.સી./એસ.ટી.  સમાજના કર્મચારીઓનુ સ્નેહમિલન તેમજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ તૃતીય પારિવારિક સ્નેહમિલનમાં જોડાવા સમાજના તમામ કર્મચારી ભાઈઓ અને બહેનોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારીઓનું સ્નેહમિલન-સંગીત સંધ્યાનું આયોજન કરેલ છે તેની સાથે તા ૧/૧/૨૩ થી ૩૧/૧૨/૨૩ દરમ્યાન નવ નિયુક્ત થયેલ તેમજ નિવૃત થયેલ કર્મચારીઓનું સવિશેષ સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમ માટે કર્મચારીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ પારીવારીક સ્નેહમિલન આગામી તા ૬/૧/૨૪ ને શનિવારે સાંજે ૫:૦૦ વાગ્યા તથાગત બુદ્ધ કોમ્યુનીટી હોલ, ભળીયાદ કાંટે, મોરબી ખાતે રાખવામા આવેલ છે અને રજીસ્ટ્રેશન માટે મોરબી તાલુકામા રાહુલભાઈ પરમાર (૯૪૨૯૩૧૬૮૨૧), વસંતભાઈ મકવાણા, નિમેષભાઈ પારઘી, નીતિનભાઇ સનાળીયા, વાંકાનેર તાલુકા માટે હસમુખભાઈ મકવાણા (૯૮૨૪૨૧૭૫૮૩), રમેશભાઈ જાદવ, ચેતનભાઈ બોસીયા, સાજનભાઈ વાઘેલા, હળવદ તાલુકા માટે ઈશ્વરભાઈ પરમાર (૯૬૦૧૦૬૬૯૯૬), સુનિલભાઈ મકવાણા, હીરાભાઈ રાઠોડ, વિજયભાઈ પરમાર, ટંકારા તાલુકા માટે જગદીશભાઈ રાણવા (૯૭૨૩૬૬૦૦૨૮), વસંતભાઈ વઘેરા, જસવંતભાઈ ચાવડા, મહેશભાઈ રાણવા અને માળીયા તાલુકા માટે રાજેશભાઈ મકવાણા (૯૯૦૯૧૭૩૮૭૩), દિનેશભાઈ ચૌહાણ અને ઈશ્વરભાઈ સાવરિયાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે 






Latest News