હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નવા રોડના કામ માટે ૧૦ કરોડની ગ્રાન્ટ મંજુર, વર્ષો સુધી ન તૂટે તેવા રોડ બનાવવાનું આયોજન: કાંતિભાઈ અમૃતિયા


SHARE











મોરબીમાં નવા રોડના કામ માટે ૧૦ કરોડની ગ્રાન્ટ મંજુર, વર્ષો સુધી ન તૂટે તેવા રોડ બનાવવાનું આયોજન: કાંતિભાઈ અમૃતિયા

મોરબી પાલિકામાં હાલમાં વહીવટદારનું શાસન છે અને ચીફ ઓફિસર પણ મૂકવામાં આવ્યા છે જોકે, લોકોની સુખાકારી માટે ભાજપના ધારાસભ્ય અમૃતિયા હાલમાં પાલિકાની કામગીરી ઉપર દેખરેખ રાખી રહ્યા છે તેવામાં પાલિકા ખાતે ધારાસભ્ય દ્વારા વહીવટીદાર, ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરવામાં આવી હતી અને મોરબીમાં નવા રોડ રસ્તા માટે ૧૦ કરોડ મંજુર કરવામાં આવેલ છે તેનો ઉપયોગ કરીને વર્ષો સુધી ન તૂટે તેવા રોડ મોરબીમાં બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને રવાપર અને પંચાસર રોડ ખોદીને નવા બનાવવામાં આવશે તેવું ધારાસભ્યએ જણાવ્યુ છે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી પાલિકા ખાતે વહીવટીદાર, ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરી હતી ત્યાર બાદ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીમાં આગામી સમયમાં રોડ સહિતના વિકાસ કામો કરવાના છે તેમાં ૧૦૦ ટકા સારી ક્વોલિટીના કામ કરવાના છે અને પ્રજાનો કે સરકારનો એકપણ રૂપિયો ખોટો ન વપરાય તેની પૂરેપૂરી તકેદારી રાખવાની છે વધુમાં જણાવ્યુ હતું કે, મોરબીમાં નવા રોડ માટે ૧૦ કરોડ મંજૂર કરવામાં આવેલ છે ત્યારે રોડ ઉપર રોડ નહીં પરંતુ જૂના રોડ તોડીને નવા રોડ સારી ગુણવતાના બનાવવા માટે કોન્ટ્રાકટરો અને અધિકારીઓને ટકોર કરી હતી

આગામી સમયમાં રવાપર રોડ, પંચાસર રોડ, ભક્તિનગર સર્કલ પાસે યદુનંદન, નીલકંઠ સોસાયટી, પંચાસર રોડ ઉપર શ્યામ પાર્ક સોસાયટી, દલવાડી સર્કલથી આવાસ યોજનાનો રસ્તો, સામાકાંઠે પાવન પાર્કનો મેઈન રોડ, વીસીપરાના વિવિધ રોડ, તખ્તસિંહજી, કંસારા શેરી વિગેરે ઉપર પેવર બ્લોક, સીસીરોડ અને ડામર રોડના કામ કરવામાં આવનાર છે અને જયારે કામ કરવામાં આવે ત્યારે વેપારીઓ અને સ્થાનિક લોકોને ધીરજ રાખવા તેમજ અધિકારીઓને ધ્યાન આપવા ધારાસભ્યે જણાવ્યુ છે

વધુમાં પાલિકાના વહીવટીદાર એન.કે. મુછારે જણાવ્યું હતું કે, ગ્રાન્ટનો સદઉપયોગ થાય તેમજ રોડ સારા બને તે માટે પાલિકા કટીબદ્ધ છે અને આ કામો માટે ટેન્ડર મજૂર કરી એજન્સીઓ ફાઇનલ કરી છે. તેમજ નવા રોડના કામોમાં ટ્રાફિક ન થાય તેમજ બીજા કોઈ પ્રશ્નો ઊભા ન થાય તે રીતે કરવામાં આવશે જ્યારે પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, ૧૦ કરોડના ખર્ચે વિકાસ કામો થવાના છે આ કામો નિયમો મુજબ અને સમયસર થાય તે માટે કોન્ટ્રાક્ટરોને તાકીદ કરેલ છે






Latest News