મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નવા રોડના કામ માટે ૧૦ કરોડની ગ્રાન્ટ મંજુર, વર્ષો સુધી ન તૂટે તેવા રોડ બનાવવાનું આયોજન: કાંતિભાઈ અમૃતિયા


SHARE







મોરબીમાં નવા રોડના કામ માટે ૧૦ કરોડની ગ્રાન્ટ મંજુર, વર્ષો સુધી ન તૂટે તેવા રોડ બનાવવાનું આયોજન: કાંતિભાઈ અમૃતિયા

મોરબી પાલિકામાં હાલમાં વહીવટદારનું શાસન છે અને ચીફ ઓફિસર પણ મૂકવામાં આવ્યા છે જોકે, લોકોની સુખાકારી માટે ભાજપના ધારાસભ્ય અમૃતિયા હાલમાં પાલિકાની કામગીરી ઉપર દેખરેખ રાખી રહ્યા છે તેવામાં પાલિકા ખાતે ધારાસભ્ય દ્વારા વહીવટીદાર, ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરવામાં આવી હતી અને મોરબીમાં નવા રોડ રસ્તા માટે ૧૦ કરોડ મંજુર કરવામાં આવેલ છે તેનો ઉપયોગ કરીને વર્ષો સુધી ન તૂટે તેવા રોડ મોરબીમાં બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને રવાપર અને પંચાસર રોડ ખોદીને નવા બનાવવામાં આવશે તેવું ધારાસભ્યએ જણાવ્યુ છે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી પાલિકા ખાતે વહીવટીદાર, ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરી હતી ત્યાર બાદ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીમાં આગામી સમયમાં રોડ સહિતના વિકાસ કામો કરવાના છે તેમાં ૧૦૦ ટકા સારી ક્વોલિટીના કામ કરવાના છે અને પ્રજાનો કે સરકારનો એકપણ રૂપિયો ખોટો ન વપરાય તેની પૂરેપૂરી તકેદારી રાખવાની છે વધુમાં જણાવ્યુ હતું કે, મોરબીમાં નવા રોડ માટે ૧૦ કરોડ મંજૂર કરવામાં આવેલ છે ત્યારે રોડ ઉપર રોડ નહીં પરંતુ જૂના રોડ તોડીને નવા રોડ સારી ગુણવતાના બનાવવા માટે કોન્ટ્રાકટરો અને અધિકારીઓને ટકોર કરી હતી

આગામી સમયમાં રવાપર રોડ, પંચાસર રોડ, ભક્તિનગર સર્કલ પાસે યદુનંદન, નીલકંઠ સોસાયટી, પંચાસર રોડ ઉપર શ્યામ પાર્ક સોસાયટી, દલવાડી સર્કલથી આવાસ યોજનાનો રસ્તો, સામાકાંઠે પાવન પાર્કનો મેઈન રોડ, વીસીપરાના વિવિધ રોડ, તખ્તસિંહજી, કંસારા શેરી વિગેરે ઉપર પેવર બ્લોક, સીસીરોડ અને ડામર રોડના કામ કરવામાં આવનાર છે અને જયારે કામ કરવામાં આવે ત્યારે વેપારીઓ અને સ્થાનિક લોકોને ધીરજ રાખવા તેમજ અધિકારીઓને ધ્યાન આપવા ધારાસભ્યે જણાવ્યુ છે

વધુમાં પાલિકાના વહીવટીદાર એન.કે. મુછારે જણાવ્યું હતું કે, ગ્રાન્ટનો સદઉપયોગ થાય તેમજ રોડ સારા બને તે માટે પાલિકા કટીબદ્ધ છે અને આ કામો માટે ટેન્ડર મજૂર કરી એજન્સીઓ ફાઇનલ કરી છે. તેમજ નવા રોડના કામોમાં ટ્રાફિક ન થાય તેમજ બીજા કોઈ પ્રશ્નો ઊભા ન થાય તે રીતે કરવામાં આવશે જ્યારે પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, ૧૦ કરોડના ખર્ચે વિકાસ કામો થવાના છે આ કામો નિયમો મુજબ અને સમયસર થાય તે માટે કોન્ટ્રાક્ટરોને તાકીદ કરેલ છે






Latest News