ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે દરિયાલાલ ઉત્સવ સમિતીનું વિસ્તરણ અને ૨૧ સભ્યોની કમિટીની રચના માટે મિટિંગ યોજાશે


SHARE











મોરબીના જલારામ મંદિરે દરિયાલાલ ઉત્સવ સમિતીનું વિસ્તરણ અને ૨૧ સભ્યોની કમિટીની રચના માટે મિટિંગ યોજાશે

મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં વાઘરવા ગામે શ્રી દરિયાલાલ દાદા મંદિરનું મંદિર આવેલ છે ત્યાં દર મહિનાની સુદ બીજની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જેના માટે દરિયાલાલ ઉત્સવ સમિતીની રચના કરેલ છે. જોકે, તેનું વિસ્તરણ કરીને હવે ૨૧ સભ્યોની કમિટીની રચના કરવાનું નકિક કરેલ છે જેના માટે મોરબીના જલારામ મંદિરે આગામી રવિવારે મિટિંગ રાખવામા આવેલ છે

બુટેશ્વરી માતાજી તથા દરિયાલાલ દાદાનું કૃપાથી વાધરવા મુકામે દર મહિનાની સુદ બીજની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અને બીજની ઉજવણી તથા ભોજન પ્રસાદની વ્યવસ્થા માટે દરિયાલાલ ઉત્સવ સમિતીની રચના કરેલ છે. જેનું વિસ્તરણ કરીને ૨૧ સભ્યોની કમિટીની રચના કરવાનું નકિક કરેલ છે. અને આ માટેની મિટીંગ આગામી તા.ર૪/૧૨ ને રવિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે રાખવામા આવેલ છે આ મિટીંગમાં ૨૧ સભ્યોની નિમણુંક કરી શ્રી દરિયાલાલ ઉત્સવ સમિતીનું વિસ્તરણ કરવું, બુટેશ્વરી માતાજી તથા દરિયાલાલ દાદાના મંદિરમાં જરૂરી વિકાસના કાર્યો કરવા, દર માસે બીજની ઉજવણી તથા ભોજન પ્રસાદ માટે યોગ્ય વ્યવસ્થા કરવી, વાધરવા ખાતે આવેલ ધર્મશાળાનું યોગ્ય રીનોવેશન કરી ભોજનની તથા રહેવાની વ્યવસ્થા કરવી જેથી બહારગામથી આવતા લોકોને સગવડતા મળી રહે તે માટેના મુખ્ય એજન્ડા રાખવામા આવેલ છે જેથી કરીને આ તકે બહોળી સંખ્યામાં સમાજના લોકોને હાજરી આપવા માટે જલારામ પ્રાર્થના મંદિર અને દરિયાલાલ ઉત્સવ સમિતીના હોદેદારો અને આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવેલ છે અને મિટીંગ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે






Latest News