રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાના પુસ્તક દેશથી પરદેશનું વિમોચન કરાયું 


SHARE











ટંકારાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાના પુસ્તક દેશથી પરદેશનું વિમોચન કરાયું 

બાળ સાહિત્ય ક્ષેત્રે કંઈક નવું કરવાની નેમ ધરાવતાં મોરબી જિલ્લાના-ટંકારા તાલુકાના - લખધીરગઢ પ્રા. શાળાનાં શિક્ષિકા જીવતીબહેન પીપલીયાનું ચોથું પુસ્તક (દેશથી પરદેશ સુધી' નું વિમોચન જગત જનની મા ઉમિયાના આશિષ સાથે ઉંઝા ખાતે કરવામાં આવ્યું હતું

લખધીરગઢ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પીપલીયા જીવતીબહેન દ્વારા સંપાદિત ચોથા પુસ્તક 'દેશથી પરદેશ સુધી' નું ઉંઝા તીર્થક્ષેત્રમાં  વિમોચન કરવામાં આવ્યું હતુ  જગતથી જુદું વિચારતાં  જીવતીબહેનનો પ્રથમ બાળગીત સંગ્રહ 'પરીબાઈની પાંખે', દ્વિતીય બાળવાર્તા સંગ્રહ 'હાથીદાદાની જય હો', તૃતીય પુસ્તક 'નટખટ' (શ્રીકૃષ્ણ જીવન ચરિત્ર) પ્રકાશિત થઈ ચૂક્યા છે. એવાં જીવતીબહેને G 20 અંતર્ગત ભારત દેશની યજમાનીમાં થયેલા વિવિધ કાર્યક્રમોથી પ્રેરણા લઈને "આખી પૃથ્વી એક પરિવાર" અર્થાત્ વસુધૈવ કુટુમ્બકમની શુભ ભાવનાઓને ઝીલતાં દેશ પરદેશમાં વસતા કવિ મિત્રોના ૧૦૧ કાવ્યોનું સંકલન કરી, 'દેશથી પરદેશ સુધી' કાવ્ય સંગ્રહનું સંપાદન કર્યું. 'અનેક એવોર્ડ વિજેતા નિવૃત્ત બેંક ઓફિસર માણેકલાલ પટેલ તેમજ નિવૃત્ત અધિકારી અને શબદ સાહિત્ય પરિવારના એડમિન શ્રી નિરંજન શાહ 'નીર', ત્રિલોકભાઈ કંડોલિયા તેમજ શબ્દ વાવેતર પરિવાર પૂરી ટીમના વરદ હસ્તે 'દેશથી પરદેશ સુધી' કાવ્ય સંગ્રહને વિમોચિત કરવામાં આવ્યો. આ સ્નેહમિલનમાં ૧૦૦ જેટલાં કવિઓએ પોતાની કવિતાનું પઠન કર્યું હતું. તેમજ અન્ય સર્જકોના બીજા ૨૪ પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.






Latest News