મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે શ્રમિકોને ધરમ ધક્કા


SHARE











મોરબીમાં ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે શ્રમિકોને ધરમ ધક્કા

કેન્દ્ર સરકારે ઈ-શ્રમ કાર્ડ કાઢીને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા શ્રમિકોને સલામતી માટેનો નિર્ણય કરલે છે જો કે, મોરબીમાં ઈ-શ્રમ કાર્ડ કાઢવાં માટે પોર્ટલ બંધ રહેતી હોવાથી શ્રમિક પોતાનું કામ બંધ રાખીને આવે તો પણ તેના કાર્ડ બનતા નથી જેથી કરીને શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે ધરમ ધક્કા થઈ રહ્યા છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં હાલમાં ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને શ્રમિક પોતાનું કામ બંધ રાખીને ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે આવે છે જો કે ટેકનિકલ કારણોસર વેબસાઇટ ચાલુ રહેતી ન હોવાથી ઈ-શ્રમ કાર્ડ કાઢવા માટે આવેલા શ્રમિકોના કાર્ડ નીકળતા નથી આજે પણ ઘણા શ્રમિકો કાર્ડ કઢાવવા માટે આવ્યા હતા તેના કાર્ડ નીકળ્યા નથી અને ત્યાં કામગીરી કરી રહેલા જવાબદાર વ્યક્તિએ જણાવ્યુ હતું કે, નેટવર્ક પ્રોબ્લેમ હોવાના લીધે કાર્ડ નીકળતા નથી અત્રે ઉલેખનીય છે કે, જો આ કાર્ડ કાઢવામાં આવ્યું હોય અને શ્રમિક અકસ્માતનો ભોગ બને અને મૃત્યુ થાય તો બે લાખનો વીમો, વિકલાંગ થાય તો ૫૦ હજાર થી એક લાખ રૂપિયા સુધીની સરકારી સહાય મળે છે પરંતુ મોરબીમાં કાર્ડ નીકળતું ન હોવાથી શ્રમિકોને આ સરકારી યોજનાનો લાભ મળે તેમ નથી






Latest News