ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે મોડીરાત્રીના ખેતરેથી પરત ફરતા બે ઉપર લૂંટના ઇરાદે હુમલો..?


SHARE











મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે મોડીરાત્રીના ખેતરેથી પરત ફરતા બે ઉપર લૂંટના ઇરાદે હુમલો..?

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ગોરખીજડિયા ગામે ખેતરેથી મોડી રાત્રીના પરત ફરી રહેલા બે લોકો ઉપર અજાણ્યા ઇસમો દ્વારા મારામારી કરીને ઇજાઓ પહોંચાડવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે ખેતરેથી પરત ઘરે આવી રહેલા ચંદુભાઈ ધરમશીભાઈ કંજારીયા (ઉમર ૫૫) અને મુકેશ ગોવિંદભાઈ કંજારિયા (ઉમર ૪૫) રહે. બંને ગોર ખીજડીયા વાળાઓને મોડીરાત્રીના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં રસ્તા ઉપર અજાણીય શખ્સો દ્વારા આંતરવામાં આવ્યા હતા અને તેઓને માર મારવામાં આવ્યો હતો.જેથી ઈજા પામતા બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયેલા હતા.મોરબીના જુદા જુદા વિસ્તારોમાં એકલદોકલ લોકોને અટકાવીને લૂંટી લેવાના બનાવો હાલ સામે આવી રહ્યા છે.તેઓ જ આ બનાવ જોવા મળ્યો હોય હાલ કયા કારણોસર ચંદુભાઈ અને મુકેશભાઈને માર મારવામાં આવ્યો હતો તેમજ લુંટના ઇરાદે હુમલો કરાયો હતો કે કેમ તે પણ તપાસનો વિષય છે..? તેમજ હુમલાખોરો કોણ હતા તે તપાસ થવી જરૂરી છે જેથી અન્ય લોકોને ભોગ બનતા અટકાવી શકાય.હાલ હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં રાજકોટ ખસેડાયો

મોરબીના રહેવાસી કિશનભાઇ કાનાભાઈ ખાંભડીયા નામના ૨૧ વર્ષના યુવાનને રાત્રિના મહેન્દ્રનગર ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો.પ્રથમ સિવિલમાંથી મોરબીની આયુષ હોસ્પિટલે અને અન્ય ખાનગી હોસ્પિટલે ખસેડાયા બાદ તેને હાલ રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.હાલ બી ડિવિઝન પોલીસ મથકના નરેન્દ્રભાઈ ગોસ્વામી દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના નાની બરાર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારના સુનંદાબેન હીરાલાલ પારઘી નામના ૩૬ વર્ષની મહિલાને સિમ વિસ્તારમાં સાપ કરડી જતાં તેઓને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News