મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ સાઈનાથ એપાર્ટમેન્ટમાં આધેડે અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીમાં આવેલ સાઈનાથ એપાર્ટમેન્ટમાં આધેડે અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું

મોરબીમાં આવેલ મૌલિક પાર્કમાં સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા આધેડે કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં આવેલ મૌલિક પાર્કમાં સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષભાઈ લક્ષ્મણભાઈ વરાણીયા (૫૫) નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારબાદ પીએમ માટે તેના મૃતદેજને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
વાંકાનેરના સિંધાવદરથી ખીજડીયાના બોર્ડ પાસે લીંબાપરા નાલાથી આગળના ભાગમાં ટ્રક નંબર જીજે ૧ સિયું ૧૬૭૬ ના ચાલકે બાઈક નંબર જીજે ૩ સીડી ૯૪૬૪ ને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા ખખાણા ગામના રહેવાસી અશોકભાઈ વિહાભાઇ અઘારા જાતે કોળી (૩૮)ને પડખા, કોણી, હાથ તેમજ પગમાં ઈજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને  ત્યારબાદ તેણે હાલમાં ટ્રક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા ટ્રક ચાલને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News