મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગામ લોકો દ્વારા કરાયું સ્વાગત


SHARE











મોરબીના ત્રાજપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગામ લોકો દ્વારા કરાયું સ્વાગત

સમગ્ર રાજ્યમાં ગામે ગામ અને ઘર ઘર સુધી જરૂરિયાતમંદ લોકોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાના લાભો પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે જે અન્વયે મોરબી તાલુકાના ત્રાજપર ગામે રથનું આગમન થયું હતું. જ્યાં ગામની બાળાઓએ ઉત્સાહભેર રથને કંકુ ચાંદલા કરી આવકાર આપ્યો હતો.

આ પ્રસંગે ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયે રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી આ સંકલ્પ યાત્રા અંગે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પ્રદર્શન નિહાળ્યું હતું. ખારી-ત્રાજપર પ્રાથમિક શાળાની બાળાઓએ ધરતી કહે પુકાર કે ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું અને બાળાઓ દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા ધરતી અને પ્રકૃતિ સંવર્ધનનો સંદેશો આપતા નાટકે સૌને એક સુંદર સંદેશ આપ્યો હતો અને સૌનું મન પણ મોહી લીધું હતું. આ પ્રસંગે પોષણ યોજના, પીએમ કિશાન સ્વનિધી, આયુષ્માન કાર્ડ, ટીબી નિક્ષય, ઉજ્જ્વલા યોજના વગેરેના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી. આ ઉપરાંત ગ્રામજનોને ઉજ્જ્વલા યોજના, આયુષ્માન કાર્ડ વગેરે લાભોથી લાભાન્વિત કરાયા હતા. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે સરપંચશ્રી તેમજ તલાટી મંત્રીશ્રી જયરાજસિંહ જાડેજાને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા. આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન વગેરે અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ, ત્રાજપર, ત્રાજપર-ખારી અને કલ્યાણગ્રામ પ્રાથમિક શાળાના શિક્ષકઓ અને સ્ટાફ, જન પ્રતિનિધિઓ, ગામના આગેવાનો, સરકારી વિભાગના અધિકારી/કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News