શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પાટીદાર પરિવારોનું દિવાળીના દિવસે સ્નેહમિલન યોજાશે 


SHARE











મોરબી જિલ્લાના પાટીદાર પરિવારોનું દિવાળીના દિવસે સ્નેહમિલન યોજાશે 

મોરબીમાં નૂતન વર્ષે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, ઉમા સંસ્કારધામ (સમાજની વાડી) લજાઈ, પાટીદાર કેરિયર એકેડમી, ઉમા મેડિકલ, ઉમા ક્લિનિક, ઉમા લેબ. દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૧૪ ને મંગળવારે સાંજે પાંચ વાગ્યે કડવા પાટીદાર કન્યા છાત્રાલય મોરબી ખાતે આ સ્નેહમિલન યોજાશે.

મોરબીના પાટીદાર સમાજના અગ્રણી બેચરભાઈ હોથી અને ત્રબંકભાઈ ફેફરે માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના તમામ પાટીદારોનું સ્નેહમિલન કડવા પાટીદાર કન્યા છાત્રાલય મોરબી ખાતે યોજાઈ રહ્યું છે અને નૂતન વર્ષમાં નવી ઉર્જા અને નવા સંકલ્પો સાથે સૌને સમુહમાં મળવાનો અવસર છે. ત્યારે સ્નેહમિલનમાં તમામ પાટીદારોને આવવા માટે  આહ્વાન કરવામાં આવ્યું છે અને આવનારી સમસ્યાઓ તેમજ પડકારોને પહોંચી વળવા સૌ સાથે મળીને હકારાત્મક અભિગમ સાથે રચનાત્મક અને સામાજીક કાર્યોની સાથે સમાજ ઉત્થાનનો સંકલ્પ કરીએ. ઉમા સંગઠન સમિતીની રચના કરી સૌ સાથે મળીને સંગઠનના સભ્યો બનીને નોંધણી કરાવી સમાજ પ્રત્યે ઋણ અદા કરીએ તેવી લાગણી આયોજકોએ વ્યક્ત કરેલ છે






Latest News