મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે  વાડીમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ


SHARE











મોરબીના ખાપર ગામે  વાડીમાં પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ

મોરબી નજીકના ખાનપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતાં આધેડે તેની પત્ની સાથે ઝૂપડામાં હતા ત્યારે કોઈ કારણોસર તેને દાતરડીના મોઢા અને માથાના ભાગે ઘા માર્યા હતા અને તેની પત્નીની હત્યા કરી નાખી હતી ત્યાર બાદ વાડીના શેઠને આ અંગેની જાણ કરી હતી જેથી તેને ગાડી કરી આપતા હત્યારો પતિ અને અન્ય પરિવારજ મહિલાની બોડીને લઈને તેના વતનમાં ચાલ્યા જ્ઞ હતા જો કે, મૃતક મહિલાના દીકરાની ફરિયાદ આધારે હાલમાં મોરબી તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકાના ખાનપર ગામે રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરા (આહીર) ની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી હસમુખભાઇ રેમલાભાઈ નાયકા (૨૪)એ પહેલા ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે તેના પિતા રેમલાભાઈ દેવાસીંગભાઈ નાયકા સામે ફરિયાદીની માતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કેતા ૮/૧૧ ના રોજ રાતના સમયે ફરિયાદીના પિતા રેમલાભાઈ નાયક અને તેની માતા ઝીણકીબેન નાયકા ખાનપર ગામે રાજેશભાઈ ડાવેરાની વાડીએ ઝૂપડામાં સૂતા હતા અને ફરિયાદીતેના પત્ની તેનો નાનો ભાઈ અને તેના નાની ઝૂપડાની બહારના ભાગે સૂતા હતા ત્યારે ઝૂપડામાં કોઈ કારણોસર તેના પિતાએ તેની માતાને માથા અને મોઢાના ભાગે દાતરડીના ઘા માર્યા હતા જેથી તેની માતાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ફરિયાદીના નાના ભાઈ સચિને તેના શેઠ રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરાને આ બનાવની જાણ કરી હતી અને ત્યાર બાદ ફરિયાદી તેમજ તેના પરિવારજનો મહિલાના મૃતદેહને લઈને તેના વતનમાં જતાં રહ્યા હતા આને ઝોઝ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ટ્રાન્સફર કરવામાં આવી છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. વાળાએ હત્યનો ગુનો નોંધીને આરોપી રેમલાભાઈ દેવાસીંગભાઈ નાયકાની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News