મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડેથી ગુમ થયેલ યુવાન આર્થિક કારણોસર ચાલ્યો ગયો હોવાનું ખુલ્યું


SHARE











મોરબીના પીપળી રોડેથી ગુમ થયેલ યુવાન આર્થિક કારણોસર ચાલ્યો ગયો હોવાનું ખુલ્યું

મૂળ રાજકોટનો રહેવાસી અને હાલ મોરબીના સામાકાંઠે જેતપર-પીપળી રોડ ઉપર આવેલ હરિગુણ સોસાયટીમાં રહેતો યુવાન ગુમ થઈ ગયો હતો જે અંગે તેના પિતાએ પોલીસમાં જાણ કરી હતી અને તપાસ દરમિયાન યુવાન આર્થિક કારણોસર ગુમ થયો હોવાનું અને તે હેમખેમ પરત આવી ગયો હોવાની પોલીસમાંથી માહિતી મળી રહી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ પીપળી રોડ ઉપરની હરિગુણ સોસાયટીમાં રહેતો આનંદ દિલીપભાઈ હરજીભાઈ ધરસંડીયા નામનો ૨૯ વર્ષનો યુવાન ઘરેથી ગત તા.૨૯-૧૦ ના રોજ કામે જવા નીકળ્યો હતો અને બાદમાં કોઈને કંઈપણ કહ્યા વિના ગુમ થઈ ગયો હતો જે અંગે પરિવારજનો દ્વારા જાણ કરવામાં આવેલ હોવાથી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં યુવાન પોલીસ મથક ખાતે હાજર થયો હતો અને પોલીસને જણાવ્યું હતું કે આર્થિક સંકડામણ રહેતી હોવાના લીધે અને આર્થિક મંદીના કારણોસર તે કંટાળી ગયો હોવાથી રાજકોટ ચાલ્યો ગયો હતો.હાલ આનંદ હેમખેમ મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વાઘપરા મારામારી

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ આવાસ યોજનાના ક્વાટરમાં કેજમ કંડલા બાયપાસ આવાસના કવાટરમાં રહેતા બે યુવાનોને સામસામે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે કાસીમ ઇબ્રાહીમભાઇ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૨) અને સામેના પક્ષેથી સાજીદ હનીફભાઇ ચાનીયા (ઉંમર ૨૬) વાળાઓને મોરબીના વાઘપરા પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

લાતી પ્લોટ મારામારી

મોરબીના લાતી પ્લોટમાં આવેલા જોન્સનગર વિસ્તારમાં રહેતા હમીદાબેન સિકંદરભાઈ મોવર નામની ૪૭ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે જાણ કરવામાં આવેલ હોવાથી એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ કે પાડોશીઓ સાથે શેરીમાં કચરો નાખવા જેવી નજીકની બાબતે થયેલ બોલાચાલીના બનાવ બાદ મારામારીના બનાવમાં ઈજાઓ થતા હમીદાબેનને સારવારમાં ખસેડીયા હતા.






Latest News