મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામે જમીન લેનારા આધેડને બે શખ્સોએ ઢીકાપાટુ-ધોકા વડે મારમાર્યો


SHARE











વાંકાનેરના મહીકા ગામે જમીન લેનારા આધેડને બે શખ્સોએ ઢીકાપાટુ-ધોકા વડે મારમાર્યો

વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા આધેડે જમીન વેચાણ રાખેલ હતી તે જમીન જે શખ્સને રાખવી હતી તેને મન દુઃખ રાખીને આધેડને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમાં ધોકા વડે માર મારીને ફેક્ચર કરી નાખ્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામે ગેલેક્સી પેટ્રોલ પંપ સામે રહેતા દિનેશભાઈ અમરશીભાઈ બાંભણીયા જાતે કોળી (૫૪)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નજરુદીન ઉર્ફે નજો ગનીભાઈ બાદી રહે. મહીકા તથા એક અજાણ્યો માણસ આમ કુલ મળીને બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મહીકા કાનપર રોડ ઉપર તબેલાથી આગળના ભાગમાં તેઓ જઈ રહ્યા હતા ત્યારે મહિકા ગામની સીમમાં તેણે જે જમીન વેચાણ રાખેલ છે તે જમીન નજરુદ્દીનને રાખવાની હોય જે બાબતનું મન દુઃખ રાખીને તેણે ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા ધોકા વડે માર મારીને હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું તથા બંને પગના ઘૂંટણ ઉપર પણ માર મારીને ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News