મોરબીની ભવાની ગરબીમાં કાલે જામનગર-ભાવનગરની મંડળીઓના કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીની ભવાની ગરબીમાં કાલે જામનગર-ભાવનગરની મંડળીઓના કાર્યક્રમ યોજાશે
મોરબીમાં આવેલ ભવાની ચોકમાં ભવાની ગરબી મંડળ દ્વારા છેલ્લા ૫૫ વર્ષથી ગરબી કરવામાં આવેલ છે અને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દરરોજ બાળાઓ દ્વારા અવનવા રાસ-ગરબા રજૂ કરવામાં આવે છે તેમજ જુદી-જુદી રાસ મંડળીના કાર્યક્રમ પણ રાખવામા આવે છે ત્યારે તા ૨૦ ના રોજ સિધ્ધિ વિનાયક ગૃપ- જામનગર તથા રાધે ક્રિષ્ન ગૃપ- ભાવનગર દ્વારા મહીસાસુરનો વધ, રાધા ક્રિષ્ન રાસ, શિવ તાંડવ, ખોડીયાર માં તથા મહાકાળી માં ની ઝાંખી જેવા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે જેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે અને જાહેર આમંત્રણ આપેલ છે