મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા બી.આર.સી. દ્વારા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું


SHARE











ટંકારા બી.આર.સી. દ્વારા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને ડાયેટ રાજકોટના માર્ગદર્શન હેઠળ ટંકારા બી.આર.સી.દ્વારા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩ નું આયોજન હરબટીયાળી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. દર વર્ષે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના આદેશથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ માં વિજ્ઞાન પ્રદર્શનને "બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન" નામ આપવામાં આવ્યું છે. જેનો મુખ્ય વિષય "સમાજ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી" રાખવામાં આવ્યો છે તેમજ પાંચ પેટા વિભાગ અંતર્ગત વિદ્યાર્થીઓએ કૃતિઓ તૈયાર કરી હતી.  સી.આર.સી. કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ સી.આર.સી.દીઠ કુલ 5-5 કૃતિઓ મળીને કુલ 30 કૃતિઓનું પ્રદર્શન તાલુકા કક્ષાએ રજૂ કરાયું હતું. ટંકારાના ભાજપના આગેવાન વસંતભાઈ માંડવિયાભાવિનભાઈ સેજપાલના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતુંજેમાં હરબટીયાળી ગામના સરપંચ દેવરાજભાઈ સંઘાણીગામ આગેવાન ગણેશભાઇ નમેરાટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફરશૈક્ષીક સંઘના અધ્યક્ષ ડાયાલાલ બારૈયામિતાણા તાલુકા શાળા આચાર્ય પ્રવિણભાઈ પારધીસી.આર.સી. કો-ઓર્ડીનેટરશાળના શિક્ષકો જોડાયા હતા. ડાયેટ પ્રાચાર્ય ડૉ. સંજયભાઈ મહેતાની હાજરીમાં પ્રદર્શનનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા ઉપસ્થિત રહ્યા હતા. તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરાયા હતા તેમજ માર્ગદર્શક શિક્ષકોને તેમના નામવાળી પેન આપીને સન્માનિત કરાયા હતા.






Latest News