મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે નસાની હાલતમાં ઘરે ગળાફાંસો ખાઈ લેતા યુવાન સારવારમાં


SHARE







માળીયા (મી)ના ખાખરેચી ગામે નસાની હાલતમાં ઘરે ગળાફાંસો ખાઈ લેતા યુવાન સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા યુવાને નસાની હાલતમાં પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીના જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં યુવાનને સારવાર આપીને હોસ્પિટલ મારફતે આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ દેગામા (૩૫) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ઘરે કપડાં સૂકવવાની દોરી વડે તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાને પ્રથમ સારવાર માટે મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને વધુમાં હોસ્પિટલેથી મળતી માહિતી પ્રમાણે નશાની હાલતમાં પ્રવીણભાઈ દેગામાએ પોતાના ઘરની અંદર જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને સારવાર માટે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા રાજ કરસનભાઈ આકોલીયા (૧૨) નામનો બાળક તેના મિત્ર સાથે રીક્ષામાં હતો ત્યારે રીક્ષા પલટી મારી જતા રાજ તથા તેના મિત્ર બંનેને ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળ વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના મકનસર ગામે રહેતો રણવીરબેની માધુરસિંગ (૨૮) નામનો યુવાન રફાળેશ્વર જીઆઇડીસી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ઇજા થઈ હોવાથી સિવિલ હોસ્પિટલ ખાતે તેને લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News