મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના યુવા ડોક્ટરની ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદમાં સભ્ય તરીકે રાજ્ય સરકાર દ્વારા નિમણુંક


SHARE











મોરબીના યુવા ડોક્ટરની ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદમાં સભ્ય તરીકે રાજ્ય સરકાર દ્વારા નિમણુંક

મોરબીના યુવા અને પ્રતિભાશાળી ડો.આશિષ ત્રિવેદીની તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના બોર્ડ મેમ્બર તરીકે નિમણુંક કરવામાં આવી છે. ડો આશિષ હાલ બીએએમએસ ડોક્ટર એસોસિએશન, મોરબી વૈધ સભા તથા બીજેપી ડોક્ટર સેલ મોરબીના કન્વીનર તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ અગાઉ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ સક્રિય રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લામાં મેડિકલ ક્ષેત્રે આ અત્યાર સુધીની સૌથી મોટી નિમણુંક છે અને નિમણુંક પામેલા તમામ ચાર સભ્યોમાં આશિષભાઈ સૌથી યુવા ચહેરો છે.

તેઓની નિમણુંકને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા તથા બીજેપી ડોક્ટર સેલના પ્રદેશ કન્વીનર ડો ધર્મેન્દ્ર ગજ્જર, સહકન્વીનર ડો.શીરીષ ભટ્ટ, ડો.અતુલ પંડ્યા, ડો.જયંતિભાઈ ભાડેસીઆ, ડો.વિજયભાઇ ગઢીયા, ડો.ચેતન અઘારા, ડો.જીતેશ દઢાણીયા, ડો.બી.કે.લહેરૂ, ચેતનભાઈ પંચોલી, ડો.અનિલભાઈ મહેતા, ભુપતભાઈ પંડ્યા, રવીન્દ્રભાઈ ત્રિવેદી સહિતના અનેક આગેવાનોએ વધાવીને અભિનંદન પાઠવ્યા છે.






Latest News