મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં લવ જેહાદ ? : મુસ્લિમ યુવાને કર્યુ સગીરાનું અપહરણ


SHARE







મોરબીમાં લવ જેહાદ ? : મુસ્લિમ યુવાને કર્યુ સગીરાનું અપહરણ

મોરબી શહેરી વિસ્તારમાં અગાઉ અનેક વખત સગીરાઓ તથા યુવતીઓના અપહરણ થયાના બનાવો સામે આવ્યા છે અને તેમાં અમુક કિસ્સાઓમાં વિધર્મી મુસ્લિમ યુવાનો દ્વારા સગીરા કે યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવીને તેમના અપહરણ કરવામાં આવ્યા હોય તેવા કિસ્સા સામે આવી ચૂક્યા છે તેવો જ એક વધુ બનાવ મોરબીમાં સામે આવ્યો છે જેમાં સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કરીને લઇ જવામાં આવી છે જે બાબતે ભોગ બનેલ સગીરાના માતા દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ શખ્સ સામે નામ જોગ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દિકરીનું લગ્ની લાલચ આપીને મોરબી વિસીપરામાં આવેલ રોહિદાસપરા ચાર ગોડાઉન નજીક રહેતો સાહિલ અલ્યાસ કટિયા જાતે મિંયાણા નામનો શખ્સ ગત તા.૯-૧૦ ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં પરીવારના કાયદેસરના વાલીપણામાંથી બદકામ કરવાને ઇરાદે અપહરણ કરી ગયેલ હોય આ બાબતે ભોગ બનનાર સગીરાની માતાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેની તપાસ પીઆઇ હકુમતસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

એસિડ પી જતા સારવારમાં

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતો અને રીક્ષા ચલાવવાનું કામકાજ કરતો અજય રવજીભાઈ ચાવડા નામનો ૨૫ વર્ષનો યુવાન તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર બેટરીમાં ભરવાનું એસિડ યુક્ત પાણી પી ગયો હતો.જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રમાંથી જાણવા મળેલ છે.તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે અજયભાઈ પરિણીત છે અને તે રિક્ષા ચલાવવાનું કામકાજ કરે છે.દરમિયાનમાં ગઈકાલે તેઓએ ઉપરોક્ત પગલું ભરી લેતા હાલ તેને સારવારમાં રાજકોટ ખસેડાયા છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસે આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા રૂખસદબેન જાવેદભાઈ શેખ (ઉમર ૩૨) અને શફરભાઇ અહમદભાઈ શેખ (ઉમર ૫૪) નામની બે વ્યક્તિઓને તેમના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરાતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ ચાવડા દ્વારા મારામારીના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.






Latest News