મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામે નર્મદા કેનાલના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











માળીયા (મી)ના વાધરવા ગામે નર્મદા કેનાલના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામ પાસે આવેલ નર્મદા કેનાલના તળાવમાં પડી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના ચીખલીના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના વાધરવા ગામે સીમમાં રહેતા અને મજૂરી કામ કરતા સરદારભાઈ જિંગલાભાઈ બારૈયા જાતે આદિવાસી (૪૦) નામનો યુવાન વાધરવા ગામની સામેના ભાગમાં આવેલ નર્મદા કેનાલના તળાવમાં કોઈ કારણોસર પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા કનુભાઈ માધુભાઈ (૪૭) નામનો યુવાન પોતાના ઘરેથી વાડીએ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે કૂતરું આવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં કનુભાઈને ઇજાઓ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને આ બનાવની જાણ કરી હતી જેથી પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં જાણ કરવામાં આવશે

બાઇક સ્લીપ
ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા અશોકભાઈ મૂળજીભાઈ માંડવીયા (૪૩) નામનો યુવાન પોતાના ઘરેથી વાડીએ જતો હતો ત્યારે રસ્તામાં અકસ્માતે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં અશોકભાઈ માંડવીયાને ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોય ત્યાં જાણ કરવામાં આવશે




Latest News