વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદીર ખાતે જ્ઞાનસાગર ઉત્સવ તેમજ આચાર્ય પ્રશિક્ષણ યોજાયું


SHARE











મોરબી સાર્થક વિદ્યામંદીર ખાતે જ્ઞાનસાગર ઉત્સવ તેમજ આચાર્ય પ્રશિક્ષણ યોજાયું

મોરબીની સાર્થક સ્કૂલ ખાતે જ્ઞાન સાગર ઉત્સવ તેમજ આચાર્ય પ્રશિક્ષણ યોજાયું હતું.સાર્થક વિદ્યામંદીર ખાતે જ્ઞાન સાગર પ્રકલ્પના ૧૦૫૧ ગ્રંથોના ગ્રંથાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ ગ્રંથ પ્રદર્શની યોજાયી હતી.આ ગ્રંથો પુનરુસ્થાન વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત થયા છે.આ ગ્રંથાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાભારતી શિશુમંદિર મોરબીના નિયામક સુનિલભાઈ પરમાર, વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા અને મહેશભાઈ જાની તેમજ પુનરુસ્થાન વિદ્યાપીઠના મોરબીના સંયોજક હરકિશનભાઈ, રાજકોટ વિભાગ એફઆરસીના સીએ સદસ્ય ગીરીશભાઈ દેવડીયા તેમજ પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.તે ઉપરાંત મોટી સંખ્યામાં શાળા સંચાલકો, શિક્ષકો, વાલીઓ તેમજ શિક્ષણ પ્રેમીઓએ ગ્રંથ પ્રદર્શની નિહાળી હતી.


સુનિલભાઈ, જયંતિભાઈ રાજકોટિયા તેમજ કિશોરભાઈ શુકલએ પોત પોતાના વક્તવ્યમાં વિદ્યાપીઠનો પરિચય, યોજના, શિક્ષણ તેમજ વ્યવહારમાં ભારતીયતા આ માટે શાળા શુ કરી શકે, શિક્ષકોનો અને વાલીઓની ભૂમિકા વિશે વાત કરી હતી.આગાઉ જ્યારે અગ્રીમ સદસ્ય યોજનામાં શાળા જોડાઈ ત્યારે વિદ્યાપીઠના અધ્યક્ષ અને કુલપતિ શ્રીમતી ઇન્દુમતીબેન કાટદરેએ સાર્થક વિદ્યામંદીરની મુલાકાત લીધી હતી.આ સાથે સાથે આજરોજ  અન્ય એક આયોજનમાં સાર્થક વિદ્યામંદિરમાં નિરંતર ચાલતા આચાર્ય પ્રશિક્ષણ અંતર્ગત પ્રખ્યાત શિક્ષણવિદ- લેખક ગિજુભાઈ બધેકા લિખિત પુસ્તક દીવાસ્વપ્ન આધારિત બનેલી દિવાસ્વપ્ન ફિલ્મ શિક્ષકોને તેમજ મહેમાનોએ નિહાળી હતી.કિશોરભાઈ શુકલે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ અને વાલીઓએ આ પિક્ચર જોવું જોઈએ.






Latest News