મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાંગીયાવદર ગામનો યુવાન પરણીતા સાથે છનન..!


SHARE











વાંકાનેરના ગાંગીયાવદર ગામનો યુવાન પરણીતા સાથે છનન..!
 
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ગાંગીયાવદર ગામે રહેતા જેસાભાઈ ધરમશીભાઈ ધરજીયા જાતે કોળી (ઉંમર ૫૬) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓના નાના ભાઈ રમેશભાઈ ધરમશીભાઈ ધરજીયા જાતે કોળી (ઉમર ૨૫) રહે.ગાંગીયાવદર વાળા પોતાના ઘરેથી ગત તારીખ ૨૧-૮ ના રોજથી ગુમ થયો હોવા અંગેની જાણ કરેલ છે.જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓના ભાઈ રમેશભાઈ કોઈને કશું કહ્યા વગર પોતાના ઘરેથી કયાંક ચાલ્યા ગયા છે અને તેમની શોધખોળ કરવા છતા કોઇ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને પોલીસે યુવાન ગુમ થયો હોવા અંગેની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
 
બનાવ સંદર્ભે તપાસ અધિકારી હકાભાઇ ચૌહાણ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, ગાંગીયાવદર ગામની જ રહેવાસી અને હાલ વાંકાનેરના સેખરડી ગામે પરણાવેલ સુખુબેન રસાભાઇ ડાભી જાતે કોળી નામની પરિણીતા રક્ષાબંધન કરવા માટે માવતરને ત્યાં ગાંગીયાવદર ગામે આવી હતી તે દરમિયાનમાં સુખુબેન નામની પરણીતા અને ગુમ થયેલા રમેશભાઇ ધરમશીભાઈ ધરજીયા જાતે કોળી (ઉમર ૨૫) કેજે અપરણીત છે બંનેની આંખ મળી ગઈ હવે અને તેથી યુવાન પરિણીતા સુખુબેનને સાથે લઇને ભાગી ગયો હોવાની માહિતી મળી છે કે અને આગળની તપાસ ચાલુ છે.
 
વાહન અકસ્માતમાં ઈજા
 
મોરબીના સામાકાંઠે આવેલા પાવનપાર્ક વિસ્તારમાં રહેતો ધર્મ રાજેશભાઈ બાયડ નામનો ૨૪ વર્ષીય યુવાન બાઇક લઇને મોરબીના વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો ત્યાં લાલપર ગામ પાસે આવેલી બાપા સીતારામ મઢુલી નજીક તેના બાઇકને અકસ્માત નડતા ઈજાગ્રસ્ત થયેલા ધર્મને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના શનાળા રોડ ઉપર આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતી સ્નેહલબેન અજયભાઈ મીરાણી નામની ૧૬ વર્ષીય યુવતી રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેણીને હડફેટે લેતા ઇજાગ્રસ્ત સ્નેહલબેમને અહીંની ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.





Latest News