મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે મકાનની દીવાલ બાબતે બે પરિવાર વચ્ચે બઘડાટી, સામસામી ફરિયાદ નોંધાઇ


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે મકાનની દીવાલ બાબતે બે પરિવાર વચ્ચે બઘડાટી, સામસામી ફરિયાદ નોંધાઇ

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મકાનની દીવાલ બાબતે બે પરિવારો વચ્ચે સામસામે બોલાચાલી થઈ હતી અને બાદમાં સામસામે પથ્થરમારો અને ઢીકાપાટુ વડે તેમજ પાવડાના હાથા વડે હુમલો કરાતા છ લોકોને સારવારમાં ખસેડાયા બાદ સામસામે ફરિયાદો નોંધવામાં આવેલી હોય પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ આઇટીઆઇ સામેના ભાગે આવેલા વિસ્તારમાં મકાનની દીવાલ બાબતે સામસામે મારામારી થઈ હતી જેમાં ડિમ્પલબેન નવીનભાઈ મકવાણા (૧૦), નવીન મીઠાભાઇ મકવાણા (૪૨), સવિતાબેન નવીનભાઈ મકવાણા (૩૫) અને મીઠા ભાણાભાઈ મકવાણા (૭૫) ને ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે સામા પક્ષના વિનોદ નાનજી ચાવડા (૨૪) અને રમીલાબેન ચાવડા (૪૨) ને પણ મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા બનાવને પગલે પોલીસ મથકના જે.એમ.જાડેજાએ તપાસ હાથ ધરતાં બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં નવીનભાઈ મીઠાભાઈ મકવાણા (૩૮) રહે, મહેન્દ્રનગર આઇટીઆઇ સામે વાળાએ વિનોદ નાનજી ચાવડા, ચિરાગ નાનજી ચાવડા અને રમીલાબેન નાનજી ચાવડા રહે. તમામ મહેન્દ્રનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમને તથા સહેદોને સામેવાળા ઢીકાપાટુનો મારમારી છૂટા પથ્થર મારો કરી ઇજા કરી હતી મકાનની દીવાલ બાબતે થયેલી બોલાચાલીમાં હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને પાવડાના હાથા વડે મૂઢ માર પણ મારવામાં આવ્યો હતો.

જ્યારે સામાપક્ષેથી રમીલાબેન નાનજીભાઈ ચાવડા (૪૬) રહે. મહેન્દ્રનગર આઇટીઆઇની સામે વાળાઓએ નવીન મીઠા મકવાણા, સવિતાબેન મકવાણા રહે. બંને મહેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેમનો દીકરો વિનોદ તથા તેઓ સામેવાળાઓને દિવાલ બાબતે સમજાવા ગયા હતા ત્યારે ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ લાકડી વડે વિનોદભાઈને મારવા જતા પોતે વચ્ચે પડતાં લાકડી વડે માર માર્યો હતો તેમજ વિનોદભાઈ સહિતના સાહેદોને પણ ઢીકાપાટુંનો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી હાલ બંને પક્ષોની ફરિયાદ લઈને આવજે એમ જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યા છે






Latest News