મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે થયેલ સામસામી મારામારીમાં એક ની ધરપકડ


SHARE











મોરબીના શનાળા ગામે થયેલ સામસામી મારામારીમાં એક ની ધરપકડ

મોરબી નજીકના શનાળા ગામે ઇન્દિરાવાસમાં સાંઈબાબા ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામે ઇન્દિરાવાસમાં સાંઇબાબા ચોક પાસે રહેતા મહિપત ઉર્ફે ભૂરો રવજીભાઈ વાઘેલા જાતે અનુ. જાતિ (૩૦) એ નીતિન મહેશભાઈ સોલંકી સહિત બેની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ જે ૯૧૧૩ લઈને પોતાના ઘરથી કાકાના ઘર તરફ જતા હતા ત્યારે આરોપી પોતાના કબજા વાળી ઇકો ગાડી લઈને ત્યાં ફરિયાદીના મોટરસાયકલ પાસે આવ્યા હતા અને ત્યાં બોલાચાલી કરી હતી અને બંને આરોપીએ ફરિયાદીના ઘર પાસે લોખંડના પાઇપ એઅને બેઝબોલના ધોકા વડે ફરીયાદીના ઘર પાસે ઉભેલ ફરિયાદી તથા તેની માતા હંસાબેન (૫૦)ને માર માર્યો હતો ત્યારે ફરિયાદી યુવાનને ડાબા હાથમાં, માથામાં અને વાસાના ભાગે માર માર્યો હતો અને તેની માતાને ડાબા હાથના પંજામાં આંગળી પાસે ધોકો મળીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં પોલીસે આરોપી નીતિન મહેશભાઈ સોલંકી (૨૧) રહે. ઇન્દિરાવાસમાં સાઈબાબા ચોક પાસે શનાળા વાળાની પીએસઆઈ પાતાળિતા અને તેની ટિમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને કાયદાને સંઘર્ષમાં આવેલા બાળ કિશોરની પૂછપરછ કરીને તેના પરિવારને સોપવામાં આવેલ છે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.

વીસીપરામાં થયેલ મારામારીના બનાવમાં ત્રણની ધરપકડ

મોરબીના વિસ્તારમાં સાતમ આઠમ દરમિયાન મારામારીનો એક બનાવ બન્યો હતો જેમાં સંજય ચતુરભાઈ ઈટોદરા નામના યુવાનને માર મારવામાં આવ્યો હોય ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ત્રણ સામે બી ડુવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જૂના મનદુ:ખમાં સંજય ઇટોદરા ઉપર લાકડી-પાઇપ વડે હુમલો કરીને તેને ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી તે અંગે નોંધાયેલી ફરિયાદમાં તપાસ અધિકારી હિતેશભાઈ મકવાણા દ્વારા વિષ્ણુ ટપુ જાસોલીયા (૩૯), ભરત ટપુ જાસોલીયા (૩૬) અને શની ટપુ જાસોલીયા (૨૫) રહે.ત્રણેય જૂની જેલ પાસે વીસીપરા મોરબી વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે.






Latest News