મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના જીવાપર ગામની સીમમાં ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન દોઢ વર્ષના બાળકનું મોત


SHARE







મોરબીના જીવાપર ગામની સીમમાં ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન દોઢ વર્ષના બાળકનું મોત

મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો દોઢ વર્ષનો બાળક વાડીએ હતો ત્યારે ત્યાં કોઈ ઝેરી જનાવર તેને કરડી ગયું હતું જેથી કરીને બાળકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં હિતેશભાઈ ચારોલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિવાનભાઈ સિંધાનિયાનો દોઢ વર્ષનો દીકરો ઈશ્વર વાડી વિસ્તારમાં વાડીએ હતો ત્યારે ત્યાં તેને કોઈપણ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તે બાળકને ઝેરી અસર થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે બાળકના પિતા દીવાનભાઇ લઈને આવ્યા હતા અને ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુંટુ રોડ ઉપર સ્મશાન પાસે વાહન અકસ્માતને બનાવ બન્યો હતો જેમાં રીક્ષા જતી હતી ત્યારે રીક્ષાની આડે અચાનક કૂતરું આડુ આવી જતા રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો તે બનાવની અંદર કિશોરભાઈ રમેશભાઈ બારોટ (૨૦) રહે.ત્રાજપર ચોકડી પાસે સામાકાંઠે મોરબી-૨ વાળાને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની નોંધ થતાં જે તે સમયે તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

માળીયા અકસ્માત

મોરબીના માળીયા મીંયાણા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં રીક્ષા સાથે ટ્રક અથડાવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજા પામેલ મુસ્તાક ફતેમામદ (ઉંમર ૧૮) રહે.માળીયા મીંયાણા વાળાને ઇજા થતા મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો અને હોસ્પિટલ ખાતેથી યાદી આવતા મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ નોંધ કરીને તપાસ હાથ ધરી હતી.






Latest News