હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ધાર્મિક-રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપી


SHARE











મોરબીમાં રહેતા માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ધાર્મિક-રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપી

ગુજરાત સરકારના માજી મંત્રી અને મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તાજેતરમાં મોરબીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. બ્રિજેશ મેરજાએ ખોખરા હનુમાનજી હરિધામ ખાતે પ્રખ્યાત કથાકાર કંકેશ્વરી દેવીજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા સદ્દગુરુ સારસ્વત સમારોહની પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વ્યાસપીઠનું પૂજન કર્યું હતું. આ તકે કંકેશ્વરી દેવીજી સાથે સંસ્કૃત પાઠશાળા તેમજ સંસ્થામાં ચાલતી અનેક ધાર્મિક પ્રવૃતિઓ બાબતે ચર્ચા કરી હતી તેમજ સારસ્વતોના પ્રવચનમાં ભાગ લીધો હતો. આ તકે જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરીયા સહિતના સ્થાનિક કાર્યકરો જોડાયા હતા.

ત્યારબાદ કબીરધામ ખાતે આગામી ૩૦ સપ્ટેમ્બરે મોરારી બાપુની રામ કથાના થનાર પ્રારંભ અન્વયે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલયે રાખેલી આયોજકો અને સ્વયં સેવકોની બેઠકમાં પણ જોડાઈને પોથી યાત્રાના સુચારું આયોજન અંગે દિશા નિર્દેશ કર્યો હતો. જેમાં વિશાલ ઘોડાસરા, રવિ સનાળિયા વગેરે સાથે પરામર્શ કર્યો હતો. અયોધ્યાપૂરી રોડ ઉપર જલારામ મંદિર સામે આવેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાના જનસંપર્ક કાર્યાલયે ઉપસ્થિત અગ્રણીઓ રુચિર કારીયા સહિતનાઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. શનાળા રોડ પર આવેલા જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે પ્રમુખ રણછોડભાઈ દલવાડી તથા મહામંત્રીઓ સાથે જિલ્લા પંચાયતના સભ્યોને પક્ષની વ્હીપ આપવાની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રમુખ હંસાબેન જેઠાભાઇ પારઘી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા અને કારોબારીના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનગ્રાને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ શોભેશ્વર મંદિરમાં રખાયેલ ભંડારામાં ઉપસ્થિત રહી પૂજા અર્ચન કર્યા હતા. ત્યારે શોભેશ્વર મંદિરના મહંત અગ્રણીઓ મનુભાઈ, સુરેશભાઈ, ગિરિરાજસિંહ તેમજ બળવંત સનાળિયાની સાથે સમૂહ ભોજનનો પ્રસાદ આરોગ્યો હતો.






Latest News