જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્દ્રિય માહિતી-પ્રસારણ મંત્રાલય ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શની: ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે


SHARE











મોરબીમાં કેન્દ્રિય માહિતી-પ્રસારણ મંત્રાલય ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શની: ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

ભારત સરકારના માહીતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ફિલ્ડ ઓફીસ ભુજ દ્વારા મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે ભારત સરકારનાં નવ વર્ષનાં સેવાસુશાસન અને ગરીબ કલ્યાણ અને પોષણ માહ અંગે તારીખ ૧૪ થી ૧૬ સવારે ૧૦ થી સાંજે ૫  વાગ્યા સુધી ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિત્ર પ્રદર્શનમાં ભારત સરકારનાં નવ વર્ષનાં સેવાસુશાસન અને ગરીબ કલ્યાણ અને પોષણ માહ સહિત  વિવિધ સ્પર્ધાઓનું  આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનીનો બહોળી સંખ્યામાં લાભ લેવા મોરબીની જાહેર જનતાને કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં ભુજના ક્ષેત્રિય પ્રચાર અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકેરાજકોટ – મોરબી હાઇવેરામદેવપીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ-ટંકારાખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. અને ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુકનોનમેટ્રીક / એસએસસી, એચએચસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએતેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોશાળા છોડ્યાનું પ્રમાણપત્રપાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફબાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળેનિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે






Latest News