મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા
Breaking news
Morbi Today

મોરબીનો ઝૂલતા પુલ કેસ ડીજીપી વિજયભાઈ જાનીને સોંપાયો


SHARE











મોરબીનો ઝૂલતા પુલ કેસ ડીજીપી વિજયભાઈ જાનીને સોપાયો

મોરબીના ઝૂલતા પુલ કેસમાં મૂકવામાં આવેલા સ્પેશિયલ પી.પી.એ રાજીનામું આપી દીધું હતું જેથી તેમને આ કેસમાંથી હટાવવામાં આવેલ છે અને ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીને હવે આ કેસની જવાબદારી સોંપવામાં આવેલ છે.

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીની ધરપકડ કરી હતી અને તે આરોપી જેલમાં હતા તે પૈકીનાં પાંચ આરોપી જામીન મુક્ત થયેલ છે અને પાંચ હજુ પણ જેલમાં છે.આ કેસમાં ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ પીપી તરીકે એસ.કે.વોરાની નિમણુંક કરવામાં આવી હતી. જો કે, તેઓએ રાજીનામુ મૂકી દેતા રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા એસ.કે.વોરાને છુટા કરીને તેમની જગ્યાએ મોરબી જિલ્લાના ડીજીપી વિજયભાઈ જાનીને આ કેસની જવાબદારી સુપ્રત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News