મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે


SHARE







મોરબીની ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબીના વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત અને મહેતા કુટુંબ પરિવાર આયોજીત ડી.સી.મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આગામી ૨જી અને ૩જી સપ્ટેમ્બરેના રોજ આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્વ. રેશ્માબેન પ્રફુલભાઈ દોશી (રીનાબેન દેવેન્દ્રભાઈ મહેતા)ના આત્મશ્રેયાર્થે હસ્તે સુરજબેન પ્રફુલભાઈ દોશીના પરિવાર દ્વારા આ કેમ્પ માટે આર્થીક સહયોગ પ્રદાન કરવામાં આવ્યો છે.

આગામી તા.૨ અને તા. ૩સપ્ટેમ્બરે એટલે કે શનિવાર-રવિવાર એમ બે દિવસ માટે યોજાનાર આ નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પમાં શનિવારે સાંજે ૪ થી ૭ વાગ્યા દરમિયાન અને રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન દર્દીઓનું વિનામૂલ્યે નિદાન થશે. મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલીત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી કે જે મોરબીના નવાડેલા રોડ ઉપર આવે છે ત્યાં મુંબઈના જાણીતા કૅન્સર નિષ્ણાત ડોક્ટર વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને તપાસ કરશે.

જેમા લોકોનું વિનામૂલ્યે નિદાન કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. જરૂરિયાત મુજબના દર્દીઓને કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલો છે. દર્દીઓએ પોતાની જુની ફાઈલ સાથે લાવવી અને એડવાન્સમાં ડિસ્પેન્સરી ખાતે પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરા મોબાઈલ નંબર ૯૫૩૭૦ ૯૯૨૧૯ ઉપર નોંધાવવાનું રહેશે.તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.તપાસ કરાવવા માટે આવો ત્યારે પોતાના કેસ પેપર સાથે લાવવા તેમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.






Latest News