મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત વસ્તુ અને સાહિત્ય પ્રદર્શની યોજાઇ


SHARE







મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત વસ્તુ અને સાહિત્ય પ્રદર્શની યોજાઇ

મોરબીમાં સરદારબાગ સામે શનાળા રોડ પર સુભાષચંદ્ર બોઝ ચોકમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત વસ્તુ પ્રદર્શની, સાહિત્ય પ્રદર્શનીનું ખુબ જ સુંદર આયોજન થયું હતું  આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્રીય સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસિયા તેમજ સંસ્કૃત ભારતી મોરબીના વરિષ્ઠ કાર્યકર્તા  પ્રવીણભાઈ રાજાણી તેમજ ઉષાબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનીમાં ઘરની રોજબરોજની ચીજ વસ્તુઓ, વિદ્યાલયોની વસ્તુઓ,અલગઅલગ વ્યવસાયો, વ્યવસાયની વસ્તુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, ભોજન સંબંધિત વસ્તુઓ, કપડાં આધારિત વસ્તુઓ, સામાન્ય વ્યવહારમાં લઈએ તેવી તમામ વસ્તુઓ આ સિવાય પણ ઘણી બધી લગભગ ૩૫૦-૪૦૦ જેટલી વસ્તુઓના નમૂના સાથે સંસ્કૃતમાં તેનું નામ લખેલ રાખવામાં આવ્યું હતું. આ માટે વિશેષરૂપે સરસ્વતી શીશુ મંદિર શનાળા તેમજ સાર્થક વિદ્યામંદિર દ્વારા  પ્રદર્શની-સાહિત્યની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. તેમજ સંસ્કૃત ભારતી મોરબીના કાર્યકર ભાઈઓ બહેનો ખુબ જ સારી વ્યવસ્થા પૂરી પાડી હતી. અને કોઈ પણ ભાઈ-બહેન સંસ્કૃત ભારતી મોરબી સાથે જોડાવા ઇચ્છતા હોય તો મો. ૯૮૨૫૬ ૩૩૧૫૪ ઉપર સંપર્ક કરવા સંસ્કૃત ભારતીના કિશોરભાઈ શુકલ, મયુરભાઈ શુકલ અને હિરેનભાઈએ જણાવ્યુ છે






Latest News